1Истина, истина ви казвам, който не влиза през вратата на кошарата на овцете, но прескача от другаде, той е крадец и разбойник.
1ઈસુ કહે છે, “હું તમને સત્ય કહું છું જ્યારે માણસ ઘેટાંના વાડામાં પ્રવેશે છે, ત્યારે તેણે દરવાજાનો ઉપયોગ કરવો જોઈએ. પછી જો તે બીજા કોઈ રસ્તેથી પ્રવેશ કરે છે, તો તે એક લૂંટારો છે. તે ઘેટાં ચોરવાનો પ્રયત્ન કરે છે.
2А който влиза през вратата, овчар е на овцете.
2પણ જે માણસ ઘેટાંની સંભાળ રાખે છે તે દરવાજામાંથી પ્રવેશે છે. તે ઘેટાંપાળક છે.
3Нему вратарят отваря; и овцете слушат гласа му; и вика своите овце по име и ги извежда.
3જે માણસ દરવાજાની ચોકી કરે છે તે ઘેટાપાળક માટે દરવાજો ઉઘાડે છે. અને ઘેટાં ઘેટાંપાળકનો અવાજ ધ્યાનથી સાંભળે છે. ઘેટાંપાળક તેનાં પોતાનાં ઘેટાંને તેમનાં નામનો ઉપયોગ કરીને બોલાવે છે. અને તેઓને બહાર દોરી જાય છે.
4Когато е изкарал всичките свои, върви пред тях; и овцете го следват, защото познават гласа му.
4તે ઘેટાંપાળક તેનાં બધાં ઘેટાંને બહાર કાઢે છે પછી તે તેઓની આગળ ચાલે છે અને તેમને દોરે છે. ઘેટાં તેની પાછળ જાય છે. કારણ કે તેઓ તેના અવાજને જાણે છે.
5А подир чужд човек няма да следват, но ще побягнат от него; защото не познават гласа на чуждите.
5પરંતુ અજાણ્યાં વ્યક્તિની પાછળ ઘેટાં કદી જતાં નથી. તેઓ તે વ્યક્તિની પાસેથી નાસી જશે, કારણ કે તેઓ અજાણ્યા માણસનો અવાજ ઓળખતા નથી.”
6Тази притча им каза Исус; но те не разбраха какво им говореше.
6ઈસુએ લોકોને આ વાત કહી, પરંતુ લોકો તેનો અર્થ સમજી શક્યા નહિ.
7Тогава Исус пак рече: Истина, истина ви казвам, Аз съм вратата на овцете.
7તેથી ઈસુએ ફરીથી કહ્યું, “હું તમને સત્ય કહું છું, હું ઘેટાં માટેનું બારણું છું.
8Всички, които са дошли преди Мене са крадци и разбойници; но овцете не ги послушаха.
8મારા આવતા પહેલા જે લોકો આવ્યા તે બધા ચોરો અને લૂંટારાઓ હતા. ઘેટાંઓએ તેઓને ધ્યાનથી સાંભળ્યા નહિ.
9Аз съм вратата; през Мене ако влезе някой, ще бъде спасен, и ще влиза, и ще излиза, и паша ще намира.
9હું બારણું છું. જે કોઈ વ્યક્તિ મારા દ્વારા પ્રવેશ કરે છે તેનું રક્ષણ થશે. તે વ્યક્તિ અંદર આવશે અને બહાર જશે. તે માણસ તેની જરુંરિયાતો જ મેળવી શકશે.
10Крадецът влиза само да открадне, да заколи и да погуби: Аз дойдох за да имат живот, и да го имат изобилно.
10ચોર ફક્ત ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા આવે છે. પણ હું આવ્યો છું જેથી તેઓને જીવન મળે, અને તે પુષ્કળ મળે.
11Аз съм добрият пастир; добрият пастир живота си дава за овцете.
11“હું ઉત્તમ ઘેટાંપાળક છું. ઉત્તમ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંઓ માટે તેનું જીવન આપે છે.
12Който е наемник, а не овчар, и не е стопанин на овцете, вижда вълка, че иде, и, като оставя овцете, бяга; и вълкът ги разграбва и разпръсва.
12જે ચાકરને ઘેટાં રાખવા પૈસા ચુકવાય છે તે ઘેટાંપાળકથી જુદો છે. પગારદાર ચાકર એ ઘેટાંનો ધણી નથી. તેથી ચાકર જ્યારે વરુંને આવતું જુએ છે ત્યારે તે ઘેટાંને એકલા મૂકીને નાસી જાય છે. પછી તે વરું ઘેટાં પર હુમલો કરીને તેઓને વિખેરી નાખે છે.
13[Той бяга] защото е наемник, и не го е грижа за овцете.
13તે માણસ નાસી જાય છે કારણ કે તે એક માત્ર પગારદાર ચાકર છે. ખરેખર તે ઘેટાંની ચિંતા કરતો નથી.
14Аз съм добрият пастир, и познавам Моите, и Моите Мене познават,
14[This verse may not be a part of this translation]
15също както Отец познава Мене, и Аз познавам Отца; и Аз давам живота Си за овцете.
15[This verse may not be a part of this translation]
16И други овце имам, които не са от тая кошара, и тях трябва да доведа; и ще чуят гласа Ми; и ще станат едно стадо с един пастир.
16મારી પાસે બીજા ઘેટાં પણ છે, તેઓ અહીં આ ટોળામાં નથી. મારે તેઓને પણ દોરવાની જરૂર છે. તેઓ મારા અવાજને ધ્યાનથી સાંભળશે. ભવિષ્યમાં ત્યાં એક જ ટોળું અને એક જ ઘેટાંપાળક હશે.
17Затова Ме люби Отец, защото Аз давам живота Си, за да го взема пак.
17પિતા મને પ્રેમ કરે છે કારણ કે હું મારું જીવન આપું છું. હું મારું જીવન આપું છું તેથી હું તે પાછું મેળવું છું.
18Никой не Ми го отнема, но Аз от Себе Си го давам. Имам право да го дам, и имам право пак да го взема. Тая заповед получих от Отца Си.
18કોઈ વ્યક્તિ મારી પાસેથી મારું જીવન લઈ શક્તું નથી. પણ હું મારું પોતાનું જીવન મુક્ત રીતે આપું છું. મને મારું જીવન આપવાનો અધિકાર છે. અને મને તે પાછું મેળવવાનો પણ અધિકાર છે. મને મારા પિતાએ આ કહ્યું છે.”
19Поради тия думи пак възникна раздор между юдеите.
19ફરીથી યહૂદિઓ એકબીજા સાથે સંમત થયા નહિ કારણ કે ઈસુએ આ બાબતો કહીં.
20Мнозина от тях казваха: Бяс има, и луд е; защо Го слушате?
20આ યહૂદિઓમાંના ઘણાએ કહ્યું, “એક શેતાન તેનામાં પ્રવેશ્યો છે અને તેને ગાંડો બનાવ્યો છે, તેનું શા માટે સાંભળો છો?”
21Други казваха: Тия думи не са на човек хванат от бяс. Може ли бяс да отваря очи на слепи?
21પણ બીજા યહૂદિઓએ કહ્યું, “એક માણસ જે શેતાન ઘેલો છે તે આના જેવી વાતો કહી શકે નહિ. શેતાન આંધળા લોકોની આંખો સાજી કરી શકે? ના!” યહૂદિઓ ઈસુની વિરૂદ્ધમાં
22И настъпи в Ерусалим празникът на освещението [на храма]. Беше зима;
22તે શિયાળાનો સમય હતો. યરૂશાલેમમાં પ્રતિષ્ઠા પર્વ નો સમય આવ્યો.
23и ходеше Исус в Соломоновия трем на храма.
23મંદિરમાં ઈસુ સુલેમાનની પરસાળમાં ચાલતો હતો.
24Между това юдеите Го заобиколиха и Му казаха: До кога ще ни държиш в съмнение? Ако си Ти Христос, кажи ни ясно.
24યહૂદિઓ ઈસુની આસપાસ ભેગા થયા. તેઓએ કહ્યુ, “ક્યાં સુધી તું તારા વિષે અમને સંદેહમાં રાખીશ? જો તું ખ્રિસ્ત હોય તો પછી અમને સ્પષ્ટ કહે.”
25Исус им отговори: Казах ви, и не вярвате. Делата, които върша в името на Отца Си, те свидетелствуват за Мене.
25ઈસુએ ઉત્તર આપ્યો, “મેં તો તમને બધું જ કહ્યું છે, પણ તમે વિશ્વાસ કરતા નથી. હું મારા પિતાના નામે કામો કરું છું. હું કોણ છું તે મારા કામો બતાવશે.
26Но вие не вярвате, защото не сте от Моите овце.
26પણ તમે વિશ્વાસ કરતા નથી. શા માટે? કારણ કે તમે મારાં ઘેટાં (લોકો) નથી.
27Моите овце слушат гласа Ми, и Аз ги познавам, и те Ме следват.
27મારાં ઘેટાં મારી વાણી સાભળે છે. હું તેઓને ઓળખું છું. અને તેઓ મને અનુસરે છે.
28И Аз им давам вечен живот; и те никога няма да загинат, и никой няма да ги грабне от ръката Ми.
28હું મારાં ઘેટાંઓને અનંતજીવન આપું છું. તેઓ કદાપિ મૃત્યુ પામશે નહિ. અને કોઈ પણ વ્યક્તિ તેઓને મારાં હાથમાંથી છીનવી શકશે નહિ.
29Отец Ми, Който Ми [ги] даде, е по-голям от всички; и никой не може да [ги] грабне от ръката на Отца.
29મારાં પિતાએ મને મારું ઘેટું આપ્યું. તે દરેક જણ કરતા મહાન છે. કોઈ પણ વ્યક્તિ મારાં પિતાના હાથમાંથી મારાં ઘેટાંને ચોરી શકશે નહિ.
30Аз и Отец едно сме.
30હું અને મારાં પિતા એક જ છીએ.”
31Юдеите пак взеха камъни за да Го убият.
31ફરીથી યહૂદિઓએ ઈસુને મારી નાખવા પથ્થરો હાથમાં લીધા.
32Исус им отговори: Много добри дела ви показах от Отца; за кое от тия дела [искате да] Ме убиете с камъни?
32પરંતુ ઈસુએ તેઓને કહ્યું, “મેં પિતા તરફથી ઘણાં સારા કામો કર્યા છે. તમે તે બધા કામો જોયા છે. તે સારા કામોમાંના કયા કામને કારણે તમે મને મારી નાખો છો?”
33Юдеите Му отговориха: Не за добро дело [искаме да] Те убием с камъни, а за богохулство, и защото Ти, бидейки човек, правиш Себе Си Бог.
33યહૂદિઓએ ઉત્તર આપ્યો, “તેં કરેલાં કોઈ સારાં કામને લીધે અમે તને મારી નાખતા નથી. પણ તું જે વાતો કહે છે તે દેવની વિરૂદ્ધ છે. તું ફક્ત એક માણસ છે, પરંતુ તું કહે છે કે તું દેવ સમાન છે. તે જ કારણથી અમે તને પથ્થરો વડે મારી નાખવા પ્રયત્ન કરીએ છીએ!”
34Исус им отговори: Не е ли писано във вашия закон: "Аз рекох, богове сте вие"?
34ઈસુએ ઉત્તર આપ્યો, “તે તમારા કાયદામાં લખેલું છે, ‘હું (દેવ) કહું છું કે તમે દેવો છો.’
35Ако са наречени богове ония, към които дойде Божието слово, (и написаното не може да се наруши),
35આ શાસ્ત્રલેખમાં પેલા લોકોને દેવો કહ્યા છે Њ તે લોકો કે જેમને દેવનો સંદેશ પ્રાપ્ત થયો છે. આ શાસ્ત્રલેખ હંમેશા સાચો છે.
36то на Този, Когото Бог освети и прати на света, казвате ли, богохулствуваш, защото рекох, Аз съм Божий Син?
36તો પછી તમે શા માટે કહો છો કે હું જે કહું છું દેવની વિરૂદ્ધ છે. કારણ કે મેં કહ્યું, ‘હું દેવનો દીકરો છું.’ હું એ જ છું જેને દેવે પસંદ કર્યો છે અને જગતમાં મોકલ્યો છે.
37Ако не върша делата на Отца Си, недейте Ми вярва;
37જો મારા પિતા જે કરે છે તે હું ન કરું તો, પછી હું જે કહું તે ના માનશો.
38но ако ги върша, то, макар да не вярвате на Мене, вярвайте на делата, за да познаете и разберете, че Отец е в Мене, и Аз в Отца.
38પણ જો હું મારા પિતા જે કરે છે તે જ કરું તો, પછી તમારે હું જે કઈ કરું તેમાં વિશ્વાસ રાખવો જોઈએ. તમે મારામાં વિશ્વાસ ન કરો, પરંતુ હું જે કંઈ કરું છું તેમાં તમે વિશ્વાસ કરો. પછી તમે જાણશો અને સમજશો કે પિતા મારામાં છે અને હું પિતામાં છું.”
39Пак искаха да Го хванат; но Той избяга от ръката им.
39ઈસુને પકડવાનો પ્રયત્ન યહૂદિઓએ ફરીથી કર્યો. પરંતુ ઈસુ તેઓની પાસેથી નીકળી ગયો.
40И отиде отвъд Иордан, на мястото, гдето Иоан по-преди кръщаваше и остана там.
40પછી ઈસુ યર્દન નદીને પેલે પાર ગયો. જ્યાં પહેલા યોહાન બાપ્તિસ્મા કરતો હતો. તે સ્થળે ઈસુ ગયો. ઈસુ ત્યાં રહ્યો.
41И мнозина дойдоха при Него; и казаха: Иоан не извърши никое знамение; но всичко, що каза Иоан за Този беше истинно.
41અને ઘણા લોકો તેની પાસે આવ્યા. તે લોકોએ કહ્યું, “યોહાને કદી ચમત્કારો કર્યા નથી. પરંતુ યોહાને આ માણસ વિષે જે બધું કહ્યું હતું તે સાચું છે.”
42И там мнозина повярваха в Него.
42[This verse may not be a part of this translation]