1તો તમે શું એમ માનો છો કે આપણે પાપ કરવાનું ચાલુ રાખવું જોઈએ, જેથી દેવની વધુ ને વધુ કૃપા આપણા પર ઉતરે?
1¿C'a'ru takaye chirix chixjunil a'in? ¿Ma toj yôko ajcui' chixbânunquil li mâc re nak k'axal cui'chic tânumtâk li rusilal li Dios sa' kabên?
2ખરેખર, ના! આપણે આપણા પાપમય જીવન માટે મૃત્યુ પામ્યા છીએ. તો પછી પાપી જીવન જીવવાનું આપણે કેવી રીતે ચાલુ રાખી શકીએ?
2¡Mâ jok'e! Mâmin târûk. Chanchan nak ac camenako lâo xban nak moco cuan ta chic xcuanquil li mâc sa' kabên. Cui mâc'a' chic xcuanquil li mâc sa' kabên, ¿c'a'ut nak toj yôko chi mâcobc?
3જ્યારે આપણે બાપ્તિસ્મા પામ્યા હતા ત્યારે આપણે સૌ ખ્રિસ્ત ઈસુ સાથે એકરૂપ થયા હતા, એ તમે શું ભૂલી ગયા છો? આપણા બાપ્તિસ્માથી આપણે તેના મૃત્યુ સાથે ભાગીદાર બન્યા હતા.
3Relic chi yâl nequenau nak lâo xkac'ul li cubi ha' xban nak xkapâb li Jesucristo. Nak xkac'ul li cubi ha' chanchan nak xocam kochben li Jesucristo xban nak xkacanab xbânunquil li kanajter na'leb.
4કારણ કે જ્યારે આપણું બાપ્તિસ્મ થયું ત્યારે આપણે પણ તેની સાથે મરણમાં દટાયા અને તેના મૃત્યુમાં ભાગીદાર થયા. આ રીતે બાપના મહિમાથી જેમ ખ્રિસ્ત મૃત્યુમાંથી ઊભો થયો તેમ આપણે પણ ઊભા થઈ શકીશું અને નવું જીવન જીવીશું.
4Jo'can nak riq'uin xc'ulbal li cubi ha', chanchan nak ac xocam ut xomuke' kochben li Cristo re nak tocuaclîk cui'chic chi yo'yo ut tocuânk sa' li aq'uil yu'am, jo' nak li Jesucristo quicuacli cui'chic chi yo'yo sa' xyânkeb li camenak riq'uin xnimal xlok'al ut xcuanquilal li Dios Acuabej.
5ખ્રિસ્ત મૃત્યુ પામ્યો, અને આપણે પણ આપણા મૃત્યુથી ખ્રિસ્ત સાથે જોડાયા છીએ. તેથી જેમ ખ્રિસ્ત મૃત્યુમાંથી ફરી પુનરૂત્થાન પામ્યો તેમ આપણે પણ મૃત્યુમાંથી ફરી પુનરૂત્થાન પામીને તેની સાથે જીવનમાં એકરૂપ થઈશું.
5Cui lâo xotz'akon kochben li Cristo sa' lix camic, jo'can ajcui' nak totz'akônk sa' lix cuaclijic cui'chic chi yo'yo sa' li ac' yu'am.
6આપણે જાણીએ છીએ કે વધસ્તંભ પર ખ્રિસ્તના મૃત્યુની સાથે જ આપણા જૂનાં માણસપણાનો અંત આવ્યો હતો. આપણા પાપમય ભૂતકાળની કોઈ અસર નવા જીવન પર ન પડે, અને (વળી પાછા) આપણે પાપના ગુલામ ન બનીએ માટે આમ થયું.
6Nakanau nak li kanajter na'leb quiq'uehe' chiru cruz rochben li Cristo. Naraj naxye nak quisache' xcuanquil li kanajter na'leb nak quicam li Cristo. Ut anakcuan inc'a' chic cuanco rubel xcuanquil li mâc jo' nak xocuan chak junxil nak xkac'anjela chak ru li mâc.
7જે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેને મૃત્યુની સત્તામાંથી મુક્ત કરવામાં આવે છે.
7Li ac xcam inc'a' chic namâcob. Jo'can ajcui' lâo cui camenak chic li kanajter na'leb, inc'a' chic yôko chixbânunquil li mâc.
8આપણે ખ્રિસ્તની સાથે મૃત્યુ પામ્યા તેથી આપણે માનીએ છીએ કે આપણે તેની સાથે નવુ જીવન પામીશું.
8Cui ac xocam kochben li Cristo, nakanau nak yo'yôco ajcui' kochben sa' li ac' yu'am.
9મૃત્યુમાંથી ખ્રિસ્તને પુર્નજીવિત કરવામાં આવ્યો હતો. આપણે જાણીએ છીએ કે તે હવે ફરીથી કદી મૃત્યુ પામી શકશે નહિ. હવે તેના પર મૃત્યુની કોઈ સત્તા નથી.
9Lâo nakanau nak li Jesucristo quicuacli cui'chic chi yo'yo sa' xyânkeb li camenak. Li Cristo inc'a' chic tâcâmk xban nak mâc'a' chic xcuanquil li câmc sa' xbên.
10હા, જ્યારે ખ્રિસ્ત મૃત્યુ પામ્યો ત્યારે તે જ સમયે મૃત્યુની સત્તાને પરાસ્ત કરવા મર્યો હતો તે સદાને માટે પૂરતું હતું. હવે તે જીવે છે, એટલે દેવના સંબંધમાં તે જીવે છે.
10Jun sut ajcui' quicam li Cristo ut anakcuan yo'yo chic. Quicam re xsachbal xcuanquil li mâc. Ut anakcuan yo'yo chic li Cristo re xq'uebal xlok'al li Dios.
11એ જ પ્રમાણે, તમારી ઉપર પણ પાપની સત્તાનો હવે અંત આવ્યો છે. અને ખ્રિસ્ત ઈસુ દ્વારા દેવ-પ્રાપ્તિ સારું તમે હવે જીવંત છો, એવું તમારી જાત વિષે તમે વિચારો.
11Jo'can ajcui' lâex. Cheq'uehak retal nak chanchan ajcui' nak camenakex ut mâc'a' chic xcuanquil li mâc sa' êbên. Ac' chic lê yu'am q'uebil êre xban li Kâcua' Jesucristo ut junajex chic riq'uin. Yo'yôquex re nak texc'anjelak chiru li Dios.
12તમારા ર્મત્ય શરીરમાં પાપને રાજ કરવા ન દો અને તમારી પાપની દુર્વાસનાને આધીન થશો નહિ. તમારું પાપયુક્ત શરીર જો તમને પાપકર્મ કરવા પ્રેરતું હોય તો તમારે એનાથી ગેરમાર્ગે દોરવાઈ જવું નહિ.
12Jo'can nak mêq'ue chic êrib rubel xcuanquil li mâc ut mêbânu chic li c'a'ru naxrahi ru lê ch'ôl.
13પાપકર્મમાં તમારા શરીરનાં અવયવોને સમર્પિત ન કરો. અનિષ્ટ કાર્યો કરવાના સાધન તરીકે તમે તમારાં શરીરોનો ઉપયોગ ન કરો. પરંતુ તમારે પોતે દેવને સમર્પિત થઈ જવું જોઈએ. જે લોકો મરણ પામીને પણ હવે ફરીથી સજીવન થયા છે એવા તમે થાવ. તમારાં શરીરનાં અવયવો દેવને સમર્પિત કરો જેથી શુભ કાર્યો માટે એનો ઉપયોગ થાય.
13Chi moco cheq'ue êrib chixbânunquil li mâusilal. Chek'axtesi ban êrib sa' ruk' li Dios. Xban nak ac xec'ul li ac' yu'am chanchan nak xexcuacli cui'chic chi yo'yo sa' xyânkeb li camenak. Jo'can nak cheq'ue lê rok êruk' chi c'anjelac chiru li Dios re xbânunquil li us.
14હવે ‘પાપ’ તમારો ‘માલિક’ થઈ શકશે નહિ. શા માટે? કેમ કે તમે નિયમશાસ્ત્રના બંધનમાં નથી. હવે તમે દેવની કૃપા હેઠળ જીવી રહ્યા છો.
14Inc'a' chic cheq'ue êrib rubel xcuanquil li mâc. Anakcuan cuanquex rubel xcuanquil lix nimal rusilal li Dios. Moco cuanquex ta chic rubel xcuanquil li chak'rab li quiq'uehe' re laj Moisés.
15તો આપણે શું કરવું જોઈએ? આપણે પાપ કરવાનું ચાલું રાખવું જોઈએ? કેમકે આપણને નિયમનું બંધન નથી, પણ આપણે કૃપાને આધીન છીએ? ના!
15Anakcuan cuanco sa' rusilal li Dios. Moco cuanco ta chic rubel xcuanquil li chak'rab. ¿Ma yal xban nak inc'a' cuanco rubel xcuanquil li chak'rab nak tomâcobk? ¡Inc'a' bi'an!
16સાચે જ તમે જાણો છો કે જ્યારે તમે કોઈની આજ્ઞા પાળવા તૈયાર થઈ જાઓ છો, ત્યારે તમે તે વ્યક્તિના ખરેખર દાસ બની જાવ છો. જે વ્યક્તિની આજ્ઞા તમે માનો છો તેના તમે દાસ છો. ગમે તો પાપને અનુસરો અથવા દેવની આજ્ઞા માથે ચડાવો. પાપ તો આધ્યાત્મિક મૃત્યુને નોંતરે છે. પરંતુ જે દેવની આજ્ઞા પાળે છે તે દેવની સાથે ન્યાયી ઠરે છે.
16Ac nequenau nak cui têq'ue êrib chi c'anjelac chiru junak patrón, a'an chic tâtaklânk êre. Jo'can ajcui' cui têq'ue li mâc chok' êpatrón ut têq'ue êrib chok' aj c'anjel chiru, texcâmk. Aban cui têq'ue êrib chi taklâc xban li Dios, tâtîcobresîk lê ch'ôl.
17ભૂતકાળમાં તમે પાપના દાસ હતા-તમારા પર પાપનું શાસન ચાલતું હતું, પરંતુ દેવનો આભાર કે તમને જે (નૈતિક-ધાર્મિક સંસ્કારો) શીખવવામાં આવ્યા તેને તમે પૂર્ણ અંત:કરણથી સ્વીકાર્યા.
17Junxil cuanquex rubel xcuanquil li mâc. A'ut anakcuan, bantiox re li Dios, chi anchal êch'ôl nequepâb li tijleb li xek'axtesi cui' êrib.
18પાપમાંથી તમને મુક્ત કરવામાં આવ્યા છે, અને હવે તમે ન્યાયપણાના દાસ છો.
18Anakcuan colbilex chic chiru li mâc. Ut xek'axtesi êrib jo' aj c'anjel chiru li Dios chixbânunquil li tîquilal.
19જે દૃષ્ટાંત લોકો જાણે છે તે દૃષ્ટાંત આપીને હું તમને આ સમજાવવા પ્રયત્ન કરીશ કારણ કે એ બધું સમજવું તમારા માટે કઠિન છે. તેથી હું આ રીતે સમજાવું છું. ભૂતકાળમાં તમે અશુદ્ધતા અને અનિષ્ટની સેવામાં તમારા શરીરનાં અવયવો અર્પણ કર્યા હતા. તમે દુષ્ટતામાં જ જીવતા હતા. તમે હવે તમારાં અવયવોને પવિત્રતાને અર્થે ન્યાયીપણાના દાસ તરીકે સુપ્રત કરો અને પછી તમે ફક્ત દેવ માટે જ જીવવા શક્તિમાન થશો.
19Ninch'olob xyâlal chêru riq'uin xserak'inquil chirix li nakac'ul arin sa' ruchich'och' re nak têtau ru li ninye. Junxil xek'axtesi êrib chixbânunquil li jo' mâjo'il na'leb ut li c'a'ak re ru chi mâusilal. A'ut anakcuan, chek'axtesihak êrib chixbânunquil li tîquilal re nak texcuânk sa' santilal chiru li Dios.
20ભૂતકાળમાં તમે પાપના દાસ હતા, અને તમે ન્યાયીપણાના અંકુશથી સ્વતંત્ર હતા.
20Nak toj nequec'anjela chak ru li mâc, mâc'a' na-oc cui' êre li tîquilal.
21તમે જે અનિષ્ટ કાર્યો કર્યા હતાં, એ માટે હવે તમે શરમ અનુભવો છો. શું એ અનિષ્ટ કાર્યો તમને કોઈ લાભદાયી હતાં ખરાં? ના. એવાં કાર્યો તો માત્ર આધ્યાત્મિક મૃત્યુ જ લાવી શકે છે.
21¿C'a'ru lê k'ajcâmunquil xec'ul nak xebânu chak li mâusilal? Mâc'a'. Ca'aj cui' xec'ut chak êxutân. Li c'a'ru naxq'ue li mâc, a'an li câmc.
22પરંતુ હવે તમે પાપની ગુલામીમાંથી મુક્ત થઈને દેવના દાસ થયા છો. અને આ (પરિવર્તન) તમને એવું જીવન આપશે કે જે માત્ર દેવને જ સમર્પિત હોય. અને એના દ્વારા તમને અનંતજીવન પ્રાપ્ત થશે.
22Anakcuan colbilex chic chiru li mâc ut k'axtesinbilex chic chi c'anjelac chiru li Dios. Ut lê k'ajcâmunquil a'an lê santobresinquil ut lê yu'am chi junelic.Lix tojbal rix li mâc, a'an li câmc. Aban li mâtan naxq'ue ke li Dios, a'an li junelic yu'am sa' xc'aba' li Kâcua' Jesucristo laj Colol ke.
23જ્યારે લોકો પાપ કરે છે, ત્યારે પાપનું વેતન-મરણ કમાય છે. પરંતુ દેવ તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા લોકોને અનંતજીવનની બક્ષિસ આપે છે.
23Lix tojbal rix li mâc, a'an li câmc. Aban li mâtan naxq'ue ke li Dios, a'an li junelic yu'am sa' xc'aba' li Kâcua' Jesucristo laj Colol ke.