1આ યાદ રાખજે! છેલ્લા દિવસોમાં ધણી બધી મુશ્કેલીઓ આવશે.
1
این را یقین بدان كه در زمان آخر، روزگار سختی خواهد بود
2એવો સમય આવશે કે જ્યારે લોકો પોતાની જાતને જ તથા પૈસાને પ્રેમ કરશે. તેઓ બડાશખોર અને અભિમાની બનશે. લોકો બીજાની નિંદા-કૂથલી કરતા થઈ જશે. લોકો પોતાના મા-બાપની આજ્ઞા નહિ પાળે. લોકોમાં આભારની ભાવના મરી પરવારશે. દેવને જેવા લોકો ગમે છે તેવા તેઓ નહિ હોય.
2
زیرا آدمیان، خودخواه و پولپرست و لافزن و مغرور و توهینكننده و نسبت به والدین نافرمان، ناسپاس، ناپاک،
3લોકોને એકબીજા માટે પ્રેમ નહિ હોય. તેઓ બીજા લોકોને માફ કરી શકશે નહિ. અને તેઓ ખરાબ વાતો કરશે. લોકો પોતાની જાત પરનો કાબૂ ગુમાવશે. તેઓ ક્રોધી અને હલકી વૃત્તિવાળા અને જે વસ્તુઓ સારી હશે તેને ધિક્કારશે.
3
بیعاطفه، بیرحم، افترازن، ناپرهیزكار، درّندهخو، متنفّر از نیكی،
4આવનારા છેલ્લા દિવસોમાં લોકો પોતાના મિત્રોના વિશ્વાસઘાતી બની જશે. તેઓ જરા પણ વિચાર કર્યા વગર મૂર્ખતાભર્યા કામો કરશે. લોકો દેવ પર પ્રીતિ રાખવાને બદલે વિલાસ પર પ્રીતિ રાખનારા થશે.
4
خیانتكار، لاقید و خودپسند خواهند بود و عیّاشی را بیش از خدا دوست خواهند داشت.
5એ લોકો દેવની સેવા કરવાનો ડોળ ચાલુ રાખશે, પરંતુ તેઓની જીવન જીવવાની રીત પરથી ખ્યાલ આવશે કે તેઓ દેવની સેવા ખરેખર કરતાં જ નથી. તિમોથી, એવા લોકોથી તું દૂર રહેજે.
5
ظاهراً خداپرستند، ولی قدرت آن را انكار مینمایند. از این اشخاص دوری كن.
6તેઓમાંના કેટલાએક લોકો તો પારકાના ઘરમાં ઘૂસી જઇને અબળા સ્ત્રીઓને ફસાવવાનો પ્રયત્ન કરતા હોય છે. એ સ્ત્રીઓમાં પણ પુષ્કળ પાપ હોય છે. અનેક અનિષ્ટ કુકર્મો કરવાની ઈચ્છા ધરાવતી એ સ્ત્રીઓ પાપૅંેથી ભરપૂર હોય છે.
6
زیرا بعضی از آنها به خانهها راه مییابند و زنهای سبکمغز را كه زیر بار گناه شانه خم کردهاند و دستخوش تمایلات گوناگون هستند، به چنگ میآورند.
7એ સ્ત્રીઓ હંમેશા નવું નવું શિક્ષણ શીખવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેઓ સત્યના જ્ઞાન સુધી પહોંચી શકવા શક્તિમાન થતી નથી.
7
این زنها دایماً در پی اطّلاعات تازه هستند، ولی هیچوقت نمیتوانند حقیقت را درک كنند.
8યાન્નેસ અને યાંબ્રેસને યાદ કર. તેઓ મૂસાના વિરોધીઓ હતા. આ લોકોની બાબતમાં પણ એવું જ છે. તેઓ સત્યનો વિરોધ કરે છે. એ એવા લોકો છે જેમની વિચાર-શક્તિ ગૂંચવાઇ ગઇ છે. તેઓ વિશ્વાસનો માર્ગ અનુસરવામાં નિષ્ફળ ગયા છે.
8
همانطور كه «ینیس» و «یمبریس» با موسی مخالفت كردند، این اشخاص نیز با حقیقت مخالفند. افكارشان فاسد شده و در ایمان مردود هستند.
9પરંતુ તેઓ જે કાર્યો કરી રહ્યા છે તેમાં સફળ તવાના નથી. બધા લોકોને ખબર પડશે કે તેઓ કેવા મૂર્ખ છે. યાંન્નેસ અને યાંબ્રેસનું આવું જ થયું હતું.
9
امّا پیشرفت آنان بیش از این نخواهد بود، زیرا حماقت آنها بر همه آشكار خواهد شد، درست همان طوری که حماقت «ینیس» و «یمبریس» معلوم گردید.
10પરંતુ મારા વિષે તો તું બધું જાણે છે. હું જે શીખવું છું અને જે રીતે હું રહું છું તે તને ખબર છે. મારા જીવનનો હેતું તું જાણે છે. મારો વિશ્વાસ, મારો પ્રેમ અને મારી ધીરજથી તું પરિચિત છે. હું મારો પ્રયત્ન કદીય છોડતો નથી, એ તું જાણે છે.
10
امّا تو، از تعلیم و رفتار و هدف من در زندگی آگاه هستی و ایمان، بردباری، محبّت و پایداری مرا دیده
11મેં જે સતાવણી અને યાતનાઓ સહન કરી છે તે વિષે તને ખબર છે. અંત્યોખ, ઈકોનિયામાં, અને લુસ્ત્રામાં મારી સાથે જે બન્યું હતું તે તું જાણે છે. એ સ્થળોએ મેં કેવી કેવી સતાવણી સહન કરી હતી, એ તને ખબર છે. પરંતુ એ બધી મુશ્કેલીઓમાં પ્રભુએ જ મારો છુટકારો કર્યો છે.
11
و همچنین رنج و آزاری را كه در «انطاكیه» و «ایقونیه» و «لستره» دیدم مشاهده كردی و میدانی چه آزارهایی به من رسید و چگونه خداوند مرا از همهٔ اینها رهایی بخشید.
12દરેક વ્યક્તિ દેવની ઈચ્છા મુજબ ખ્રિસ્ત ઈસુમાં જીવન સમર્પિત કરી જીવવાનો પ્રયત્ન કરશે તે દરેક વ્યક્તિની સતાવણી કરવામાં આવશે.
12
آری، همهٔ کسانیکه مایلند در اتّحاد با مسیح عیسی زندگانی خداپسندانهای داشته باشند، رنج و آزار خواهند دید.
13જે દુષ્ટ લોકો બીજાને છેતરે છે તે લોકો વધુ ને વધુ ખરાબ થતા જશે. તેઓ બીજા લોકોને મૂર્ખ બનાવશે, પરંતુ તેઓ પોતે પણ મૂર્ખ બનશે.
13
امّا مردمان شریر و شیّاد از بد، بدتر خواهند شد. آنها دیگران را فریب میدهند و خود نیز فریب میخورند.
14પરંતુ જે વાતો તું શીખ્યો છે તેને અનુસરવાનું તારે ચાલુ રાખવું જોઈએ. તું જાણે છે કે એ બધી વતો સાચી છે. તું એ બાબતો શીખવનારાઓ પર પૂરો વિશ્વાસ રાખી શકે છે એની તને ખબર છે.
14
و امّا تو، به آنچه آموختهای و به آن اطمینان داری وفادار باش زیرا میدانی از چه كسانی آن را آموختی
15તું બાળક હતો ત્યારનો પવિત્ર શાસ્ત્રથી પરિચિત છે. એ પવિત્રશાસ્ત્ર તને વિવેકબુદ્ધિવાળો બનાવવાની ક્ષમતા ધરાવે છે અને ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ દ્ધારા તારણના માર્ગે જવા એ વિવેકબુદ્ધિ તને ઉપયોગી નીવડશે.
15
و از كودكی با کتابمقدّس، که قادر است به تو حكمت ببخشد تا به وسیلهٔ ایمان به مسیح عیسی نجات یابی، آشنا بودهای.
16દરેક શાસ્ત્ર ઇશ્વરપ્રેરિત છે. લોકોના જીવનમાં ક્યાં ખોટું થાય છે તે બતાવવા અને બોધ આપવા દરેક શાસ્ત્ર ઉપયોગી છે. ભૂલો સુધારવા અને ન્યાયી જીવન જીવવાના શિક્ષણમાં ભૂલો સુધારવા દરેક શાસ્ત્ર ઉપયોગી છે.
16
تمام کتابمقدّس از الهام خداست و برای تعلیم حقیقت، سرزنش خطا، اصلاح معایب و پرورش ما در نیکی مطلق مفید است
تا مرد خدا برای هر كار نیكو کاملاً آماده و مجهّز باشد.
17શાસ્ત્રોનો ઉપયોગ કરીને જે વ્યક્તિ દેવની સેવા કરશે, તે બધાજ સારા કાર્યો કરવા માટે પૂરેપૂરો સુસજજ થશે.
17
تا مرد خدا برای هر كار نیكو کاملاً آماده و مجهّز باشد.