1દરેક માણસે મુખ્ય અધિકારીઓના હુકમનું પાલન કરવું જ જોઈએ. જે અધિકારી છે તેઓને દેવ દ્વારા એ સત્તા આપવામાં આવી છે. અને અત્યારે જે લોકો શાસન કરી રહ્યા છે, તેમને પણ દેવ દ્વારા એ સત્તા આપવામાં આવી છે.
1
همه باید از اولیای امور اطاعت نمایند، زیرا بدون اجازهٔ خدا هیچ قدرتی وجود ندارد و زمامداران فعلی را خدا منصوب كرده است.
2તેથી જે વ્યક્તિ સરકારની વિરુંદ્ધમાં હોય તે ખરેખર તો દેવના આદેશની વિરુંદ્ધમાં છે. સરકારની વિરુંદ્ધ જતા લોકો પોતે શિક્ષા વહોરી લે છે.
2
از این جهت هرکه با آنها مخالفت كند، با آنچه خدا برقرار كرده است مخالفت میکند و با این کار، خود را محكوم خواهد ساخت.
3જે લોકો સારાં કાર્યો કરતા હોય તેમણે સરકારી અધિકારીઓથી ડરવાની જરૂર નથી. પરંતુ જે લોકો ખોટાં કામો કરતા હોય તેમને તો અધિકારીઓનો ડર લાગવો જ જોઈએ. શું તમારે શાસકોના ડરમાંથી મુક્ત થવું છે? તો તમારે સારાં કામો કરવાં જોઈએ. જો તમે સારાં કાર્યો કરશો તો સરકારી અધિકારીઓ તમારાં વખાણ કરશે.
3
زیرا فرمانراوایان باعث وحشت نیكوكاران نیستند، بلكه بدكاران باید از آنها بترسند. آیا میخواهی از زمامداران ترسی نداشته باشی؟ در این صورت نیكی كن و او تو را خواهد ستود.
4શાસક તો દેવનો સેવક છે. જે તમને મદદ કરે છે. પરંતુ જો તમે કઈક ખોટું કરશો તો તમારે ડરવું પડશે. શાસક પાસે શિક્ષા કરવાની સત્તા હોય છે, અને તે એ સત્તાનો ઉપયોગ કરશે. ખોટાં કામો કરનાર લોકોને સજા કરતો અધિકારી દેવનો સેવક છે.
4
چونكه او خادم خداست و برای خیریّت تو كار میکند. امّا اگر كار نادرست انجام دهی از او هراسان باش، زیرا او بیسبب صاحب شمشیر نیست، بلكه خادم خداست تا غضب خدا را در مورد خطاكارن اجرا نماید.
5તેથી તમારે સરકારના નિયમોનું પાલન કરવું જ જોઈએ. તમારે સરકારી કાયદાઓનું પાલન કરવું જોઈએ કારણ કે જો તમે પાલન ન કરો તો તમને શિક્ષા થાય. તમારે એટલા માટે પણ કાયદાનું પાલન કરવું જોઈએ કેમ કે, એમ કરવું જ યોગ્ય છે એ તમે જાણો છો.
5
بنابراین باید از صاحبان قدرت اطاعت كنید، نه تنها بهسبب غضب خدا، بلكه بهخاطر آسایش وجدان خود نیز.
6અને તેથી જ તમે કરવેરા પણ ચૂકવો છો. જે સત્તાધારી છે તે દેવ માટે કાર્ય કરે છે અને શાસન કાર્યમાં પોતાનો બધો સમય આપે છે.
6
و به همین سبب است كه شما مالیات میپردازید زیرا اولیای امور، خادمان خدا هستند و به این دلیل مشغول انجام وظایف خود میباشند.
7જે લોકોનું ઋણ તમારા માથે હોય તે તેમને ચૂકવો. કોઈ પણ જાતના કરવેરા કે કોઈ પણ જાતનું દેવું તમારા પર હોય તો તે ભરપાઈ કરી દો. જે લોકોને માન આપવા જેવું હોય તેમને માન આપો. અને જેમનું સન્માન કરવા જેવું હોય તેમનું સન્માન કરો.
7
پس دِین خود را نسبت به همه ادا كنید: مالیات را به مستحق مالیات و عوارض را به مأمور وصول عوارض بپردازید و آن كسی را كه سزاوار احترام است، احترام كنید و صاحبان عزّت را عزیز بدارید.
8કોઈનું કોઈ પણ પ્રકારનું દેવું રાખશો નહિ. પરંતુ હંમેશા એક બીજાના પ્રેમના ઋણી રહો. જે વ્યક્તિ બીજા લોકોને પ્રેમ કરે છે તેણે ખરેખર નિયમની બધી જ જરૂરિયાતો પરિપૂર્ણ કરી છે એમ ગણાશે.
8
هیچ چیز به كسی مقروض نباشید، به جز محبّت به یكدیگر. کسیکه دیگران را محبّت كند، شریعت را بجا آورده است.
9હું આમ શા માટે કહું છું? કારણ કે નિમયશાસ્ત્ર કહે છે, “તારે વ્યભિચારનું પાપ ન કરવું જોઈએ, ખૂન ન કરવું, કશાયની ચોરી ન કરાય, બીજા લોકોની વસ્તુઓ મેળવી લેવાની ઈચ્છા ન કરાય.” આ અને બીજી બધી આજ્ઞાઓ કે આદેશો ખરેખર તો એક જ નિયમમાં સમાઈ જાય છે: “જે રીતે તમે તમારી જાતને પ્રેમ કરો છો, એ જ રીતે પોતાના પડોશી પર પણ પ્રેમ કરો.”
9
همهٔ احكام خدا: زنا نكن، قتل نكن، دزدی نكن، طمع مورز، و هر حكم دیگر در این حكم است كه «همسایهات را مانند جان خود دوست بدار،» خلاصه شده است.
10પ્રેમ બીજા લોકોને ઈજા કે દુ:ખ પહોંચાડી શકતો નથી. તેથી, નિયમના બધા જ આદેશોનું પાલન કરવું કે તેને પ્રેમ કરવો એ બધું એક જ છે.
10
کسیکه همسایهٔ خود را دوست دارد، به او بدی نمیکند. پس محبّت اجرای كامل تمام شریعت است.
11આ બધી વાત હું તમને એટલા માટે કહું છું કે, તમે જાણો છો તેમ, આપણે સૌ મહત્વપૂર્ણ સમયમાં જીવી રહ્યાં છીએ. હા, તમારી નિંદ્રામાંથી જાગૃત થવાનો હવે સમય આવ્યો છે. પછી જ્યારે આપણે વિશ્વાસીઓ બન્યા તેના કરતાં હવે તારણનો સમય આપણી વધુ નજીક છે.
11
بهعلاوه شما میدانید كه ما در چه زمانی هستیم و میدانید كه موقع بیدار شدن از خواب رسیده است. امروز نجات ما از آن روزی كه ایمان آوردیم، نزدیكتر است.
12“રાત” લગભગ સમાપ્ત થઈ ચૂકી છે. “દિવસ” ઊગી રહ્યો છે. તેથી આપણે અંધકારનાં કામો કરવાનું હવે બંધ કરવું જોઈએ. સત્કર્મોના કાર્યો માટે આપણે પ્રકાશના શાસ્ત્રોથી સજજ થવું જોઈએ.
12
شب تقریباً گذشته و روز نزدیک است، پس كارهای تاریکی را مانند لباس كهنه از خود دور اندازیم و زِرِه نور را بپوشیم.
13પ્રકાશમાન દિવસમાં રહેતા લોકોની જેમ આપણે વર્તવું જોઈએ. મોંજ મસ્તીથી છલકાતી ખર્ચાળ મિજબાનીઓ આપણે ઉડાવવી ન જોઈએ. મદ્યપાન કરીને આપણે નશો ન કરવો જોઈએ. આપણે આપણાં અવયવો વડે જાતીય વાસનાનું પાપ કે બીજાં કોઈ પણ પાપ ન કરવાં જોઈએ. આપણે (બિનજરુંરી) દલીલો કરીને મુશ્કેલીઓ ઊભી કરવી ન જોઈએ, અથવા ઈર્ષાળુ ન બનવું જોઈએ.
13
چنان رفتار كنیم كه شایستهٔ كسانی باشد كه در روشنایی روز به سر میبرند و از عیّاشی و مستی و فِسق و هرزگی یا نزاع و حسد بپرهیزیم.
خود را با عیسی مسیح خداوند مسلّح سازید و دیگر در فكر ارضای خواهشهای نفسانی خود نباشید.
14પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો. તમારામાં રહેલો પાપનો અંશ તમને જે ખરાબ ઈચ્છાઓ કરાવે છે, તેને સંતોષવાના વિચારો ન કરો.
14
خود را با عیسی مسیح خداوند مسلّح سازید و دیگر در فكر ارضای خواهشهای نفسانی خود نباشید.