Gujarati: NT

Persian

Romans

2

1જો તમે એમ માનતા હો કે તમે બીજા લોકોનો ન્યાય કરી શકો છો, તે એ તમારી ભૂલ છે. તમે પોતે પણ પાપથી અપરાધી થયેલા છો. તમે બીજા લોકોનો ન્યાય કરવાનો પ્રયત્ન કરો છો. પરંતુ તેઓની માફક તમે પણ ખરાબ કર્મો કરવામાં રચ્યાપચ્યા રહો છો. બીજા લોકોને અપરાધી સિદ્ધ કરવાની પ્રવૃતિ કરીને ખરેખર તો તમે પોતે અપરાધી ઠરો છો.
1 و امّا ‌ای آدمی، تو كیستی كه دربارهٔ دیگران قضاوت می‌کنی؟ هرکه باشی هیچ عذری نداری زیرا وقتی تو دیگران را محكوم می‌کنی و در عین حال همان كاری را كه آنها انجام می‌دهند انجام می‌دهی، خودت را محكوم می‌کنی.
2જે લોકો ખરાબ કર્મો કરે છે, તેમનો ન્યાય કરનાર તો દેવ છે અને આપણે જાણીએ છીએ તેમ દેવનો ન્યાય સાચો હોય છે.
2 ما می‌دانیم وقتی خدا اشخاصی را كه چنین کارهایی می‌کنند محكوم می‌کند، حق دارد.
3જે લોકો ખોટાં કર્મો કરે છે તેમનો ન્યાય તમે કરો છો પરંતુ એવાં અનિષ્ટ કાર્યો તમે પોતે પણ કરો જ છો. તેથી આ વાત બરાબર ખાતરીપૂર્વક સમજી લેશો કે દેવ તમારો પણ ન્યાય કરશે. તમે એમાંથી છટકી શકવાના નથી.
3 آیا تو گمان می‌کنی كه با محكوم كردن دیگران از كیفر خواهی رست! درحالی‌که همان كارها را انجام می‌دهی؟
4દેવ તો હંમેશા તમારા પર ભલાઈ કરતો રહ્યો છે અને તમારા જીવનમાં પરિવર્તન આવે એની ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યો છે. પરંતુ દેવની આ ભલાઈની તમને તો કઈ પડી જ નથી. પસ્તાવો થાય એ માટે દેવની કૃપા હંમેશા તમારા પર વરસતી હોય છે. એ તમે કદાચ સમજતા જ નથી.
4 آیا فراوانی مهر و بردباری و صبر خدا را ناچیز می‌شماری؟ مگر نمی‌‌‌‌‌‌دانی كه منظور مهربانی خدا این ‌است كه تو را به توبه راهنمایی فرماید؟
5પરંતુ તમે લોકો કઠણ અને હઠાગ્રહી છો. જીવનમાં પરિવર્તન પામવાની વાતને તમે ઘસીને ના પાડી દો છો. આ રીતે, દેવ તમને જે શિક્ષા ફરમાવશે એમાં તમે વધુ ઉમેરો કરતા જાઓ છો. ન્યાયના દિવસે દેવ જ્યારે પોતાનો કોપ પ્રગટ કરશે ત્યારે તમને યોગ્ય શિક્ષા (દંડ) મળશે; અને તે દિવસે દેવના સાચા ન્યાયનો લોકોને અનુભવ થશે.
5 با سخت‌دلی و بی‌میلی خود نسبت به توبه، عقوبت خود را تا روز ظهور غضب خدا و داوری عادلانهٔ او پیوسته شدیدتر می‌سازی.
6દરેક વ્યક્તિને તેનાં કાર્યો અનુસાર દેવ તેને યોગ્ય રીતે શિક્ષા કરશે.
6 زیرا خدا به هرکس بر حسب کارهایی كه كرده است، پاداش یا كیفر خواهد داد.
7કેટલાક લોકો તો જાણે કે દેવના મહિમા માટે જ જીવતા હોય છે. તેઓ પોતાની સારી પ્રતિષ્ઠાનું જતન કરતાં અવિનાશી જીવન જીવી જાય છે. હંમેશા તેઓ સતત સારાં કામો કરવા સારું પોતાનું જીવન જીવતા હોય છે. દેવ એવા લોકોને અનંતજીવન આપશે.
7 بعضی افراد، نیكویی را دنبال می‌کنند و در جستجوی عزّت و شرف و حیات فناناپذیر هستند، خدا به آنان حیات ‌جاودانی خواهد داد.
8પરંતુ બીજા કેટલાએક લોકો સ્વાર્થી હોય છે અને સત્યનો માર્ગ સ્વીકારવાનો ઈન્કાર કરી દે છે. અનિષ્ટને અનુસરનારા લોકોને દેવનો કોપ અને શિક્ષા વહોરવી પડશે.
8 بعضی افراد خودخواه هستند و حقیقت را رد می‌کنند و به دنبال ناراستی می‌روند، آنها مورد خشم و غضب خدا قرار می‌گیرند.
9સૌ પ્રથમ યહૂદિઓને અને પછી બિન-યહૂદિઓને એમ જે કોઈ વ્યક્તિ ખરાબ કામો કરશે તેને દેવ દુ:ખો અને યાતનાઓ આપશે.
9 برای همهٔ آدمیانی كه بدی را بجا می‌آورند، مصیبت و پریشانی خواهد بود، اول برای یهودیان و سپس برای غیر یهودیان.
10પરંતુ સારાં કામો કરનાર દરેક વ્યક્તિને દેવ મહિમા, માન અને શાંતિ આપશે-ભલે પછી તે યહૂદિ હોય કે બિન-યહૂદિ.
10 امّا خدا به کسانی‌که نیكوكاری نمایند، عزّت و شرف و آرامش خواهد بخشید، اول به یهودیان و سپس به غیر یهودیان.
11કોઈ પણ જાતના ભેદભાવ વગર એક સમાન ધોરણે દેવ સર્વનો ન્યાય કરે છે.
11 زیرا خدا تبعیضی بین این و آن قایل نمی‌شود.
12જે લોકો પાસે મૂસાનું નિયમશાસ્ત્ર છે અને એવા લોકો કે જેઓએ નિયમશાસ્ત્ર સાંભળ્યું નથી. તેઓ બધા જ જ્યારે પાપ કરે છે ત્યારે એક સમાન કક્ષાએ આવી જાય છે. જે લોકો પાસે નિયમશાસ્ત્ર નથી અને જે પાપીઓ છે તેઓ નાશ પામશે. અને જે લોકો પાસે નિયમશાસ્ત્ર છે અને તેઓ પાપી છે તેઓનો ન્યાય નિયમથી થશે.
12 همهٔ آنانی كه بدون داشتن شریعت موسی گناه می‌کنند، بدون شریعت هلاک می‌شوند و همهٔ آنانی كه تحت شریعت هستند و گناه می‌کنند، به وسیلهٔ شریعت محكوم می‌شوند.
13આ નિયમશાસ્ત્ર માત્ર સાંભળી લેવાથી દેવની નજરે ન્યાયી થવાશે નહિ. એ નિયમશાસ્ત્ર પ્રમાણે જે લોકો આજ્ઞા પાળે છે તે દેવની સાથે નિયમ મુજબ ન્યાયી ઠરશે.
13 زیرا تنها شنیدن احكام شریعت هیچ‌کس را در حضور خدا کاملاً نیک نمی‌‌سازد، بلكه مجریان شریعتند كه نیک شمرده می‌شوند.
14બિનયહૂદિ લોકો પાસે નિયમશાસ્ત્ર હોતુ નથી, નિયમશાસ્ત્ર જાણ્યા વગર પણ પોતાની સ્વતંત્ર બુદ્ધિ વડે નિયમ મુજબ તેઓ વર્તે છે. જો કે તેઓને નિયમ મળ્યો નથી છતાં તેઓ તેમની જાત માટે નિયમરૂપ છે.
14 هرگاه غیر یهودیان كه دارای شریعت موسی نیستند، احكام شریعت را طبیعتاً انجام می‌دهند، معلوم است كه شریعت آنان خودشانند. با وجود اینكه شریعت كتبی ندارند،
15તેઓ તેમના હૃદયમાં તે બતાવે છે. નિયમની અપેક્ષા મુજબ સાચું શું છે અને ખોટું શું છે તે તેઓના કામ દેખાડી આપે છે. જ્યારે તેઓ ખોટું કરે છે ત્યારે તેમના વિચારો તેમને કહે છે કે તેઓએ ખોટું કર્યુ છે, અને તેઓ ગુનેગારની લાગણી અનુભવે છે. કેટલીક વાર તર્ક બુદ્ધિથી એમને લાગે કે એમણે જે કઈ કર્યુ છે તે યોગ્ય છે ત્યારે તેઓ અપરાધ ભાવનાથી પીડાતા નથી.
15 رفتارشان نشان می‌دهد كه مقرّرات شریعت در قلبهایشان نوشته شده و وجدانهای ایشان نیز درستی این را تأیید می‌کند. زیرا افكارشان یا آنها را متّهم می‌کند و یا از آنها دفاع می‌نماید.
16જે દિવસે દેવ ન્યાય ચૂકવશે ત્યારે લોકોના હૃદયમાં છુપાયેલી ગુપ્ત વાતો બહાર આવશે. હું જે સુવાર્તાનો ઉપદેશ આપું છું તે કહે છે. દેવ, ખ્રિસ્ત ઈસુ દ્વારા લોકોનો ન્યાય કરશે.
16 طبق بشارتی كه من می‌دهم، در روزی كه خدا به وسیلهٔ عیسی مسیح همهٔ افكار پنهانی دلهای آدمیان را داوری می‌کند، این ‌كار انجام خواهد گرفت.
17પાઉલ યહૂદિઓને કહે છે: તમારા વિષે શું કહેવું, શું માનવું? તમે તો યહૂદિ હોવાનો દાવો કરો છો. નિયમના આધારે તમે દેવની નજીક હોવાનું અભિમાન ધરાવો છો.
17 امّا اگر تو خود را یهودی می‌نامی و به شریعت متّكی هستی و از اینكه خدا را می‌شناسی، به خود می‌بالی،
18દેવ તમારી પાસે કેવી અપેક્ષા રાખે છે તે તમે સારી રીતે જાણો છો. જે બાબતો અગત્યની છે તે પણ તમે જાણો જ છો કારણ કે નિયમશાસ્ત્રમાં તમે તેવું શીખ્યા છો.
18 و ارادهٔ او را می‌‌دانی و به‌سبب اینكه در شریعت تربیت شده‌ای چیزهای عالی را ترجیح می‌دهی
19તમે માનો છો કે જે લોકો સાચો માર્ગ જાણતા નથી, તેઓના માર્ગદર્શક તમે છો. જે લોકો અંધકારમાં છે તેમના માટે પ્રકાશરૂપ તમે છો.
19 و خاطر جمع هستی كه راهنمای كوران و نور ساكنان تاریكی
20તમે એમ ધારો છો કે મૂર્ખ માણસોને સાચો માર્ગ તમે બતાવી શકશો જે લોકોને હજી પણ શીખવાની જરૂર છે તેમના શિક્ષક તમે છો એમ તમે માનો છો. નિયમ શીખવાથી તમે વિચારો છો કે તમે બધું જ જાણો છો અને સર્વ સત્ય તમારી પાસે જ છે.
20 و معلّم نادانان و آموزگار كودكان می‌باشی و صاحب شریعت هستی كه مظهر معرفت و حقیقت است.
21તમે બીજા લોકોને ઉપદેશ આપો છો, તો પછી તમારી જાતને ઉપદેશ કેમ આપતા નથી? તમે લોકોને કહો છો કે ચોરી ન કરવી, પરંતુ તમે પોતે જ ચોરી કરો છો.
21 پس تو كه دیگران را تعلیم می‌دهی، چرا خود را تعلیم نمی‌دهی؟ تو كه موعظه می‌کنی دزدی نباید كرد، آیا خودت دزدی نمی‌کنی؟ ‌
22તમો લોકોને કહો છો કે વ્યભિચારનું પાપ ન જ કરવું જોઈએ, પરંતુ તમે પોતે એ પાપના અપરાધી છો. તમે મૂર્તિ-પૂજાને ધિક્કારો છો, પરંતુ મંદિરોને લૂટો છો.
22 تو كه می‌گویی زنا نكن، آیا خودت زنا نمی‌کنی؟ تو كه از بُتها نفرت داری، آیا پرستشگاهها را غارت نمی‌کنی؟
23દેવના નિયમશાસ્ત્રનું જ્ઞાન હોવાની તમે બડાશો મારો છો પરંતુ નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરીને તમે દેવને શરમાવો છો.
23 تو كه به شریعت فخر می‌کنی، آیا با شكستن شریعت نسبت به خدا بی‌حرمتی نمی‌کنی
24શાસ્ત્રોમાં લખેલું છે કે: “તમારા કારણે બિનયયહૂદિઓમાં દેવના નામની નિંદા થાય છે.”
24 چنانکه کتاب‌مقدّس می‌فرماید: «به‌سبب شما یهودیان، مردمان غیر یهود نام خدا را بی‌حرمت می‌سازند.»
25જો તમે નિયમનું પાલન કરતા હોય તો જ સુન્નત કરાવી સાર્થક ગણાય. પરંતુ જો તમે નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરતા હશો તો તમે સુન્નત કરાવી જ નથી એમ ગણાશે.
25 چنانچه از شریعت اطاعت كنی، ختنهٔ تو ارزش دارد؛ امّا اگر از شریعت سرپیچی نمایی، مثل این است كه اصلاً ختنه نشده‌‌ای.
26બિનયહૂદિયો સુન્નત કરાવતા નથી. છતાં નિયમો જે માંગે છે, તે પ્રમાણે કરતા હોય તો તેમણે સુન્નત કરાવી છે એમ મનાશે.
26 اگر یک غیر یهودی كه ختنه نشده است از فرمانهای شریعت اطاعت نماید، آیا خدا او را ختنه‌ شده به حساب نخواهد آورد؟
27યહૂદિ લોકો પાસે તો દેવનું લેખિત નિયમશાસ્ત્ર છે અને તમે તો સુન્નત કરાવી છે. છતાં પણ તમે નિયમનો ભંગ કરતા જ રહો છો. તેથી એવા લોકો કે જેમણે શારીરિક દૃષ્ટિએ સુન્નત કરાવી નથી. છતાં દેવ-આજ્ઞાનું પાલન કરે છે, તેઓનું જીવન એ બતાવે છે તમે લોકો અપરાધી છો.
27 و شخصی كه جسماً ختنه نشده است ولی احكام شریعت را انجام می‌دهد، تو را كه با وجود داشتن كتاب و نشانهٔ ختنه، از شریعت تجاوز می‌کنی، محكوم خواهد ساخت.
28સાચા યહૂદિ હોવું એ માત્ર સાદી સરળ બાહ્ય નિશાનીઓની બાબત નથી. અને સાચી સુન્નત તો શારીરિક નિશાની કરતાં વધારે છે.
28 زیرا یهودی حقیقی كسی نیست كه ظاهراً یهودی باشد و ختنهٔ واقعی تنها یک عمل جسمانی نیست؛ بلكه یهود واقعی شخصی است كه از باطن یهودی باشد، یعنی قلبش ختنه شده باشد و این نیز، ‌كار روح خداست، نه كار شریعت مكتوب. ستایش چنین شخص از خداست، نه از انسان.
29જે વ્યક્તિ પોતાના અંત:કરણમાં યહૂદિ હશે તે જ સાચો યહૂદિ ગણાશે. સાચી સુન્નત તો પવિત્ર આત્માથી કરાવાની હોય છે, લેખિત નિયમ વડે થતી સુન્નત સાચી નથી. અને જ્યારે આત્મા દ્વારા કોઈ વ્યક્તિના હૃદયની સુન્નત થાય છે, ત્યારે લોકો તેની પ્રશંસા કરતા નથી પરંતુ દેવ તરફથી તેમના પ્રશંસા કરતા નથી પરંતુ દેવ તરફથી તેમની પ્રશંસા પ્રાપ્ત થાય છે.
29 بلكه یهود واقعی شخصی است كه از باطن یهودی باشد، یعنی قلبش ختنه شده باشد و این نیز، ‌كار روح خداست، نه كار شریعت مكتوب. ستایش چنین شخص از خداست، نه از انسان.