Gujarati: NT

Persian

Romans

8

1તેથી હવે જે લોકો ખ્રિસ્ત ઈસુમાં છે, તેઓને અપરાધી ઠરાવવામાં આવતા નથી.
1 پس دیگر برای کسانی‌که در اتّحاد با مسیح عیسی به سر می‌برند هیچ محكومیّتی وجود ندارد،
2મને શા માટે અપરાધી ઠરાવવામાં આવ્યો નથી? કારણ કે ખ્રિસ્ત ઈસુમાં આત્માનો જે નિયમ જીવન લાવે છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે.
2 زیرا فرمان حیات‌بخش روح‌القدس كه در اتّحاد با مسیح عیسی یافت می‌شود، مرا از فرمان گناه و مرگ آزاد كرده است.
3આપણી પાપમય જાતે નિયમને બિનઅસરકારક બનાવ્યો. જે નિયમ ન કરી શકે તે દેવે કર્યું. બીજા લોકો માનવજીવનનો ઉપયોગ પાપકર્મમાં કરે છે. પણ દેવે તેના દીકરાને માનવજીવનના રૂપમાં પૃથ્વી પર પાપ માટે પોતાને મતને બલિદાન અર્પણ કરવા મોકલ્યો. આમ પાપનો નાશ કરવા દેવે માનવજીવનનો ઉપયોગ કર્યો.
3 آنچه را كه شریعت به علّت ضعف طبیعت نفسانی نتوانست انجام دهد، خدا انجام داد. او فرزند خود را به صورت انسان جسمانی و گناهكار، برای آمرزش گناهان بشر فرستاد و به این وسیله گناه را در ذات انسانی محكوم ساخت.
4આપણા જીવનમાં નિયમની પરિપૂર્ણતાના હેતુ માટે દેવે આમ કર્યું. હવે આપણે આપણી પાપમય જાતના હુકમ પ્રમાણે જીવતા નથી. પણ હવે આપણે આત્માને અનુસરીને જીવીએ છીએ.
4 خدا چنین كرد تا احكام شریعت به وسیلهٔ ما كه گرفتار طبیعت نفسانی خود نیستیم، بلكه مطیع روح خدا می‌باشیم، بجا آورده شود.
5ફક્ત પાપમય દુર્વાસનાઓની જ ઈચ્છાઓ વિષે જે લોકો વિચારે છે, તે પાપમય દુર્વાસનાઓને અનુસરીને જીવે છે. પણ જે લોકો આત્માને અનુસરે છે તેઓ હંમેશા આત્મા તેમની પાસે જે કરવાની અપેક્ષા રાખે છે તેનો વિચાર કરે છે.
5 زیرا کسانی‌که بر طبق خواهش‌های نفس زندگی می‌کنند، همیشه در فكر چیزهای نفسانی هستند ولی كسانی ‌كه مطیع روح خدا هستند، در فكر چیزهای روحانی می‌باشند.
6જો કોઈ વ્યક્તિના વિચારો પર તેના દૈહિક મનનો કાબૂ હશે, તો તેનું આધ્યાત્મિક મૃત્યુ છે. પરંતુ જો કોઈ વ્યક્તિના વિચારો પર આત્માનો કાબૂ હોય તો ત્યાં જીવન તથા શાંતિ હોય છે.
6 عاقبت دلبستگی به امور نفسانی، مرگ و عاقبت پیروی از امور روحانی، حیات و آرامش است.
7આ સત્ય કેમ છે? જો કોઈ વ્યક્તિના વિચારો પર તેના દૈહિક મનનો કાબૂ હશે તો તે વ્યક્તિ દેવથી વિમુખ છે. એવી વ્યક્તિ દેવનો નિયમ પાળવાનો ઈન્કાર કરે છે. અને ખરેખર તો એવી વ્યક્તિ દેવનો આદેશ પાળી શકતી નથી.
7 زیرا دلبستگی به امور نفسانی، دشمنی با خداست. چنین شخصی از شریعت خدا اطاعت نمی‌کند و در واقع نمی‌تواند اطاعت نماید.
8જે લોકો દૈહિક છે તેઓ દેવને પ્રસન્ન કરી શકતા નથી.
8 بنابراین انسانهای نفسانی نمی‌‌توانند خدا را خشنود سازند.
9પરંતુ તમારા પર દૈહિક મનની સત્તા નથી. જો દેવનો આત્મા તમારામાં ખરેખર વસતો હોય તો તમારા પર આત્માની સત્તા ચાલે છે, પરંતુ જો કોઈ વ્યક્તિના હૃદય પર ખ્રિસ્તના આત્માનો પ્રભાવ નહિ હોય, તો ખ્રિસ્ત પાસે તેનું સ્થાન નથી.
9 اگر روح خدا در وجود شما ساكن است شما اشخاصی روحانی هستید، نه نفسانی. هرکه روح مسیح را ندارد، از آن او نیست.
10પાપને કારણે તમારું શરીર મરેલું છે. પરંતુ જો તમારામાં ખ્રિસ્ત (વસતો) હશે, તો આત્મા તમને જીવન આપશે, કેમ કે તમને દેવ સાથે ન્યાયી ઠરાવવામાં આવ્યા છે.
10 امّا اگر مسیح در وجود شما ساكن است، حتّی اگر بدن شما به علّت گناه محكوم به مرگ باشد، روح خدا به شما حیات می‌بخشد، چون شما کاملاً نیک محسوب شده‌اید.
11જો દેવે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડ્યો, અને જો દેવનો આત્મા તમારામાં વસતો હશે, તો તમારા ર્મત્ય શરીરોને પણ તે નવું જીવન આપશે. ખ્રિસ્તને મૃત્યુમાંથી ઊઠાડનાર એક માત્ર દેવ છે. અને એ જ રીતે તમારામાં રહેતો તેનો પવિત્ર આત્મા દ્વારા તમારા નાશવંત શરીરોને જીવન આપશે.
11 اگر روح خدا كه مسیح را پس از مرگ زنده گردانید، در وجود شما ساكن باشد، همان‌طور كه او را پس از مرگ زنده گردانید، به وسیلهٔ همان روح‌‌القدس كه در شما ساكن است، به جسم فانی شما هم حیات خواهد بخشید.
12તેથી, મારા ભાઈઓ અને બહેનો, આપણે આપણાં પાપાત્માઓની સત્તા આપણા પર ન જ ચાલવા દેવી જોઈએ. આપણાં પાપી શરીરોની ઈચ્છાઓ કે વાસનાઓથી દોરવાઈને આપણે જીવવું જોઈએ જ નહિ.
12 پس ای دوستان من، ما مدیونیم، امّا نه به طبیعت نفسانی خود و نه به پیروی از خواهش‌های نفس.
13જો તમારા પાપી સ્વભાવની વાસનાઓ સંતોષવા તમે ખરાબ કામો પાછળ તમારા જીવનનો ઉપયોગ કરશો, તો તમારું મૃત્યુ થશે જ. પરંતુ શરીરનાં કામોને મારી નાખવા જો તમે આત્માનો ઉપયોગ કરશો તો તમને સાચું જીવન પ્રાપ્ત થશે.
13 زیرا اگر مطابق طبیعت نفسانی خود زندگی كنید خواهید مرد. امّا اگر به یاری روح خدا، کارهای جسمانی را نابود سازید، خواهید زیست.
14દેવનાં સાચાં સંતાનો એ છે કે જેઓ દેવના આત્માનું માર્ગદર્શન સ્વીકારે છે.
14 كسانی ‌كه به ‌وسیلهٔ روح خدا هدایت می‌شوند، فرزندان خدا هستند.
15જે આત્મા આપણને પ્રાપ્ત થયો છે તે કોઈ સામાન્ય આત્મા નથી કે જે આપણને ફરીથી દાસ બનાવીને ભયભીત કરશે. જે આત્મા આપણને પ્રાપ્ત થયો છે, તે આપણને દેવનાં સંતાનો બનાવે છે. અને એ ભાવનાથી જ તો આપણે દેવને “પિતા, પ્રિય પિતા,” કહીને બોલાવીએ છીએ.
15 زیرا آن روحی كه خدا به شما داده است، شما را برده نمی‌‌سازد و موجب ترس نمی‌شود، بلكه آن روح شما را فرزندان خدا می‌گرداند و ما به كمک این روح در پیشگاه خدا فریاد می‌کنیم: «ابا، ای پدر.»
16આપણા આત્માની સાથે એ જ આત્મા સાક્ષી આપે છે કે આપણે દેવનાં સંતાનો છીએ.
16 روح خدا با روح ما با هم شهادت می‌دهند كه ما فرزندان خدا هستیم
17જો આપણે દેવનાં સંતાનો હોઈશું, તો દેવ પોતાનાં માણસોને જે આશીર્વાદ આપે છે, તે આપણને પણ મળશે. આ આશીર્વાદો દેવ તરફથી આપણને મળશે. ખ્રિસ્તની સાથે સાથે આપણને પણ એ આશીર્વાદ પ્રાપ્ત થશે. પરંતુ ખ્રિસ્તે જે દુ:ખો સહન કર્યા હતાં, તેમ આપણે પણ સહન કરવાં જ પડશે. તો જ, ખ્રિસ્તની જેમ આપણને પણ મહિમા પ્રાપ્ત થશે.
17 و اگر فرزندان او هستیم، در آن صورت، وارث -‌یعنی وارث خدا و هم ارث با مسیح- نیز هستیم و اگر ما در رنج مسیح شریک هستیم، در جلال او نیز شریک خواهیم شد.
18હમણાં આપણે દુ:ખો સહન કરી રહ્યા છીએ. પરંતુ ભવિષ્યમાં આપણને જે મહિમા પ્રાપ્ત થવાનો છે તેની તુલનામાં આપણાં અત્યારનાં દુ:ખો કઈ જ નથી.
18 به عقیدهٔ من درد و رنج كنونی ما ابداً با جلالی كه در آینده برای ما ظاهر می‌شود، قابل مقایسه نیست.
19દેવે સર્જેલી દરેક વસ્તુ એ સમયની ઉત્તેજનાપૂર્વક રાહ જોઈ રહી છે કે જ્યારે દેવ દુનિયાને બતાવી દેશે કે તેનાં (સાચાં) સંતાનો કોણ છે એ ઘટના ઘટે એની આખા જગતને આતુરતા છે.
19 تمامی خلقت با اشتیاق فراوان در انتظار ظهور فرزندان خدا به سر می‌برد.
20દેવે જે દરેક વસ્તુ ર્સજી તે દરેક વસ્તુ જાણે નિરર્થકતાને આધીન હોય તેમ તેને બદલી નાખવામાં આવી. તેને બદલવાની ઈચ્છા ન હતી. પરંતુ દેવે તેમાં પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો. પરંતુ તેમાં પણ આ આશા તો હતી
20 زیرا خلقت نه به ارادهٔ خود بلكه به خواست خدا دچار بیهودگی شد تا این امید باقی بماند
21કે દેવ-સર્જિત પ્રત્યેક વસ્તુ નષ્ટ થવાથી મુક્ત હશે. એવી પણ આશા હતી કે દેવનાં સંતાનોને જે મુક્તિ અને મહિમા પ્રાપ્ત થયા છે, તે દેવે બનાવેલી દરેક વસ્તુને મળશે.
21 كه روزی خود آفرینش از قید فساد آزاد گردد و در آزادی پر شكوه فرزندان خدا سهیم شود.
22આપણે જાણીએ છીએ કે, બાળકને જન્મ આપવા માટે તૈયાર કોઈ સ્ત્રી દુ:ખ સહન કરતી રાહ જોતી હોય, એ રીતે અત્યારે તો સમગ્ર સૃષ્ટિ દેવ-સર્જિત દરેક વસ્તુ માટે પ્રસૂતાની વેદના જેવી વેદના સહન કરી રહી છે.
22 زیرا می‌دانیم كه تمامی آفرینش تا زمان حاضر از دردی مانند درد زایمان نالیده است.
23પરંતુ તે એકલી જ નહિ, પણ આપણે પોતે જેઓને આત્માનું પ્રથમફળ મળ્યું છે. તે જોઈને પણ દત્તકપુત્રપણાની, એટલે આપણા શરીરના ઉદ્ધારની વાટ જોતાં આપણે પોતાના મનમાં નિસાસા નાખીએ છીએ, કહેવાનો અર્થ એ છે કે આપણાં શરીરોથી આપણને મુક્તિ મળી જાય એની આપણે પ્રતિક્ષા કરી રહ્યા છીએ.
23 نه تنها خلقت، بلكه ما نیز كه روح خدا را به عنوان اولین نمونهٔ عطایای خدا دریافت كرده‌ایم، در درون خود می‌نالیم و در انتظار آن هستیم كه خدا ما را فرزندان خود بگرداند و كلّ بدن ما را آزاد سازد.
24કારણ કે એ જ આશાથી આપણો ઉદ્ધાર થયો છે. પણ જે આશા દૃશ્ય હોય તે આશા નથી કેમ કે કોઈ માણસ પોતે જે જુએ છે, તેની આશા કેવી રીતે રાખે.
24 زیرا با چنین امیدی بود كه ما نجات یافتیم؛ امّا امیدی كه برآورده شده باشد، دیگر امید نیست. چه كسی در انتظار چیزی است كه قبلاً آن را یافته است؟
25પરંતુ આપણે એવી વસ્તુ મેળવવાની આશા રાખીએ છીએ કે જે હજી સુધી આપણને મળી નથી. તેના માટે આપણે ધીરજપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છીએ.
25 امّا اگر در امید چیزی هستیم كه هنوز نیافته‌ایم، با صبر منتظر آن می‌شویم.
26વળી, પવિત્ર આત્મા પણ આપણને સહાય કરે છે. આપણે ઘણા નિર્બળ છીએ, પરંતુ આપણી નિર્બળતાને દૂર કરવા પવિત્ર આત્મા આપણને મદદ કરે છે. આપણે પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ એ પણ આપણે તો જાણતા નથી. પરંતુ આપણા વતી પવિત્ર આત્મા પોતે દેવ સાથે વાત કરે છે. આપણા માટે પવિત્ર આત્મા દેવને વિનવે છે. શબ્દો જેને વ્યક્ત કરી ન શકે એવી ઊડી લાગણીથી પવિત્ર આત્મા (આપણા વતી) દેવ સાથે વાર્તાલાપ કરે છે.
26 به همین طریق روح خدا در عین ضعف و ناتوانی، ما را یاری می‌کند؛ زیرا ما هنوز نمی‌دانیم چگونه باید دعا كنیم. امّا خود روح خدا با ناله‌هایی ‌كه نمی‌توان بیان كرد، برای ما شفاعت می‌کند
27અંતકરણને પારખનાર દેવ આત્માના મનમાં શું છે તે જાણે છે. કારણ કે પવિત્ર આત્મા લોકોના હૃદયમાં જોઈ શકે છે અને અંત:કરણમાં શું છે તે પણ જાણે છે, કારણ કે તેના પોતાના લોકો વતી દેવ જે ઈચ્છે છે તે આત્મા દેવને કહે છે.
27 و آنكه قلبهای انسان را جستجو می‌کند، از نیّت روح آگاه است؛ چون روح‌‌القدس مطابق خواست خدا برای مقدّسین شفاعت می‌کند.
28આપણે જાણીએ છીએ કે જે લોકો દેવને ચાહે છે તેમના બધાજ કાર્યોમાં દેવ તેઓના ભલા માટે કામ કરે છે. તે લોકો દેવની ખાસ પસંદગી પામેલા છે, કેમ કે દેવની એવી યોજના હતી.
28 ما می‌دانیم همه‌چیز برای خیریّت آنانی كه خدا را دوست دارند و به حسب ارادهٔ او خوانده شده‌اند، با هم در كارند.
29દુનિયાની રચના કરી તે પહેલાં દેવ એ લોકોને ઓળખતો હતો. અને દેવે એવો પણ નિર્ણય કર્યો હતો કે એ લોકો તેના દીકરા જેવા થાય. અનેક ભાઈઓ અને બહેનોમાં ઈસુ સર્વ પ્રથમ જન્મેલો સૌથી મોટો ગણાશે.
29 زیرا خدا آنانی را كه از ابتدا می‌شناخت از پیش برگزید تا به شكل پسر او درآیند و تا پسر، نخستین برادر در میان ایمانداران بسیار باشد.
30પોતાના દીકરા જેવા થવા લોકોને દેવે નિમંત્રણ આપ્યું. અને એ લોકોને પોતાની સાથે ન્યાયી બનાવ્યા અને પોતાની સાથે રહેવાની યોગ્યતા આપી. જેઓને ન્યાયી ઠરાવ્યા તેઓને મહિમાવંત પણ કર્યા.
30 او كسانی را كه قبلاً برگزیده بود به سوی خود خوانده است و خوانده شدگان را کاملاً نیک محسوب كرد و نیكان را نیز جاه و جلال بخشید.
31તો હવે આ વિષે આપણે શું કહીશું? જો દેવ આપણી સાથે છે તો આપણને કોઈ પણ વ્યક્તિ હરાવી શકશે નહિ.
31 پس در برابر این چیزها چه بگوییم؟ اگر خدا پشتیبان ماست، كیست كه برضد ما باشد؟
32આપણા માટે તો દેવ કઈ પણ કરી શકશે. આપણા માટે કઈ પણ સહન કરવા માટે તેણે પોતાનો દીકરો આપ્યો. પોતાના દીકરાને પણ દેવે દુ:ખ સહન કરવા દીધું, આપણા સૌના કલ્યાણ માટે દેવે પોતાનો દીકરો પણ સોંપી દીધો, તો તે કૃપા કરીને આપણને તેની સાથે બધુંએ કેમ નહિ આપશે?
32 آیا خدایی که پسر خود را دریغ نداشت، بلكه او را در راه همهٔ ما تسلیم كرد، با بخشیدن او همه‌چیز را با سخاوتمندی به ما نمی‌بخشد؟
33દેવે પસંદ કરેલા લોકો પર કોણ દોષ મૂકી શકશે? કોઈ નહિ! દેવ જ છે કે જે લોકોને ન્યાયી બનાવે છે.
33 چه كسی برگزیدگان خدا را متّهم خواهد كرد؟ خدا آنان را تبرئه می‌نماید!
34કોણ કહી શકશે કે દેવના લોકો અપરાધી છે? કોઈ પણ નહિ! આપણા માટે ખ્રિસ્ત ઈસુએ મૃત્યુ સ્વીકાર્યું, પરંતુ એમાં જ કાંઈ બધું આવી જતું નથી. મૃત્યુમાંથી તેને ઊભો કરવામાં આવ્યો હતો. હવે તે દેવને જમણે હાથે છે અને આપણા વતી આપણા ઉદ્ધાર માટે દેવને વિનંતી કરી રહ્યો છે.
34 پس كیست كه بتواند آنان را محكوم سازد؟ مسیح عیسی ‌كسی است كه مُرد و حتّی دوباره زنده شد و اكنون در دست راست خدا برای ما شفاعت می‌کند!
35શું ખ્રિસ્તના પ્રેમમાંથી કોઈ પણ વસ્તુ આપણને જુદા પાડી શકશે? ના! શું વિપત્તિ, કે વેદના કે સતાવણી કે, દુષ્કાળ કે, નગ્નતા કે જોખમ કે, તલવાર? અપણને ખ્રિસ્તના પ્રેમમાંથી જુદા પાડી શકશે? ના! તો શું સમસ્યાઓ અથવા ખ્રિસ્તના દુશ્મનો દ્વારા ઊભી કરાતી મુશ્કેલીઓ અને જુલ્મ આપણને ખ્રિસ્તના પ્રેમથી જુદા કરી શકશે? ના! આપણી પાસે જો ખોરાક કે કપડાં નહિ હોય તો તેથી શું આપણે ખ્રિસ્તના પ્રેમથી જુદા થઈ જઈશું? ના! જોખમ કે મૃત્યુ પણ આવે તેથી શું આપણે ખ્રિસ્તના પ્રેમથી જુદા થઈ જઈશું? ના!
35 پس چه كسی می‌تواند ما را از محبّت مسیح جدا سازد؟ آیا مصیبت یا نگرانی یا زجر یا گرسنگی یا تهیدستی یا خطر و یا شمشیر قادر است ما را از مسیح جدا سازد؟
36શાસ્ત્રોમાં લખ્યું છે તેમ: “તારે (ખ્રિસ્તને) લીધે અમે તો હંમેશા મૃત્યુના જોખમ નીચે છીએ. લોકો તો એમ જ માને છે કે અમારું મૂલ્ય કતલ કરવા લાયક ઘેટાંથી વિશેષ કાંઈ નથી.” ગીતશાસ્ત્ર 44:22
36 چنانکه كتاب ‌مقدّس می‌فرماید: «به‌خاطر تو در تمام روز در خطر مرگ هستیم و با ما مانند گوسفندانی كه به كشتارگاه می‌روند، رفتار می‌شود.»
37દેવ દ્વારા જેણે આપણા પર પ્રેમ દર્શાવ્યો છે, તેના દ્વારા આ બધી બાબતોમાં આપણને સંપૂર્ણ વિજય પ્રાપ્ત થયો છે.
37 با وجود همهٔ این چیزها، به وسیلهٔ او كه ما را دوست داشت، پیروزی ما كامل می‌شود.
38[This verse may not be a part of this translation]
38 زیرا یقین دارم كه نه موت و نه حیات، نه فرشتگان و نه نیروها و قدرتهای فوق بشری، نه پیشامدهای امروز و نه وقایع فردا، نه قدرتهای آسمانی و نه بلندی و نه پستی و خلاصه هیچ چیز در تمام آفرینش نمی‌تواند ما را از محبتّی كه خدا در خداوند ما عیسی مسیح آشكار نموده، جدا سازد.
39[This verse may not be a part of this translation]
39 و نه بلندی و نه پستی و خلاصه هیچ چیز در تمام آفرینش نمی‌تواند ما را از محبتّی كه خدا در خداوند ما عیسی مسیح آشكار نموده، جدا سازد.