1¶ Ko te tangata he ngoikore te whakapono, manakohia, kauaka ia ki nga tautohe whakaaro.
1વિશ્વાસમાં જે માણસ નબળો હોય તો તેનો તમે તમારી મંડળીમાં સ્વીકારવા માટે ઈન્કાર ન કરશો. અને એ વ્યક્તિના જુદા વિચારો વિષે એની સાથે દલીલબાજીમાં ન ઉતરશો.
2Ko tetahi hoki e whakapono ana he pai nga mea katoa hei kai mana: ko te tangata ia he ngoikore tona whakapono e kai otaota ana.
2એક વ્યક્તિ એવું માને છે કે એને મન ફાવે તેમ તે કોઈપણ જાતનો ખોરાક ખાઈ શકે છે. પરંતુ નિર્બળ વિશ્વાસ ધરાવનાર માણસ એવું માને છે કે તે ફક્ત શાકભાજી જ ખાઈ શકે છે.
3Kaua te tangata e kai ana e whakahawea ki te tangata kahore e kai, kaua hoki te tangata kahore e kai e whakahe i te tangata e kai ana: kua manakohia hoki ia e te Atua.
3કોઈપણ જાતનો ખોરાક લેનાર માણસે એવું માની લેવું ન જોઈએ કે તે શુદ્ધ શાકાહારી વ્યક્તિ કરતાં વધારે સારો છે. અને ચુસ્ત શાકાહારી માણસે પણ એવું માનવું ન જોઈએ કે બધી જાતનો ખોરાક લેનાર માણસ ખોટો છે. કેમ કે દેવે તેનો પણ સ્વીકાર કર્યો છે.
4Ko wai koe e whakahe na i te pononga a tera? ma tona rangatira ia e whakatu, e whakahinga ranei. Ina, ka whakaturia ano ia: e taea hoki ia e te Atua te whakatu.
4બીજા માણસના નોકર વિષે તમે અભિપ્રાય આપી ન શકો. નોકર કામ બરાબર કરે છે કે નહિ, એ તો ફક્ત એનો પોતાનો જ શેઠ નક્કી કરી શકે. અને પ્રભુનો સેવક ન્યાયી હશે કારણ કે તેને ન્યાયી કે સુપાત્ર બનાવવા પ્રભુ સમર્થ છે.
5Ki te whakaaro a tetahi, nui atu tetahi ra i tetahi: ki a tetahi whakaaro ia he rite katoa nga ra. Kia u marire nga whakaaro o tetahi, o tetahi.
5કોઈ માણસ એવું માની શકે કે કોઈ એક દિવસ તે બીજા કોઈ દિવસ કરતાં વધારે મહત્વનો છે. અને વળી બીજો કોઈ માણસ એવું માની શકે કે બધા દિવસ એક સરખાજ છે. ખરી વાત તો એ છે કે દરેક માણસે મનમાં પોતાની માન્યતાઓ વિષે બરાબર સ્પષ્ટ હોવું જોઈએ.
6Ko te tangata e whakaaro ana ki te ra, he whakaaro ki te Ariki tona whakaaro; ko te tangata e kai ana, he whakaaro ki te Ariki tana kai, e whakawhetai atu ana hoki ia ki te Atua; ko te tangata kahore e kai, he whakaaro ki te Ariki tana kore e kai, e whakawhetai ana ano ia ki te Atua.
6બીજા દિવસો કરતાં અમુક જ દિવસ વધારે અગત્યનો છે એવું માનનાર માણસ પ્રભુને માટે એવું કરી રહ્યો છે. અને બધું જ ખાનાર માણસ પણ દેવને માટે એવું કરી રહ્યો છે. હા એ ખોરાક માટે તે દેવનો આભાર માને છે. અને અમુક ખોરાક ખાવાનો ઈન્કાર કરનાર માણસ પણ પ્રભુને ખાતર એમ કરી રહ્યો છે. એ પણ દેવનો આભાર માને છે.
7Ehara hoki i te mea ki a ia ake ano te ora o tetahi o tatou, ehara hoki i te mea ki a ia ake te mate o tetahi.
7હા, આપણે સૌ પ્રભુને ખાતર જીવીએ છીએ. આપણે કાંઈ આપણી પોતાની જાત માટે જીવતા કે મરતા નથી.
8Ta te mea, ahakoa ora, e ora ana tatou ki te Ariki; ahakoa mate, e mate ana tatou ki te Ariki: na, ahakoa ora tatou, mate ranei, na te Ariki tatou.
8જો આપણે જીવીએ છીએ તો તે પ્રભુને ખાતર જ જીવીએ છીએ. અને જો આપણે મરીએ છીએ તો તે પણ પ્રભુને ખાતર જ. આમ, જીવતાં કે મરતાં આપણે પ્રભુનાજ છીએ.
9Ko te mea hoki tenei i mate ai a te Karaiti, i ara ake ai ano, i ora ai ano, kia waiho ai ia hei Ariki ngatahi mo te hunga mate, mo te hunga ora.
9તેથી જ તો ખ્રિસ્ત મરણ પામ્યો અને પાછો મૃત્યુમાંથી સજીવન થયો. ખ્રિસ્તે આ પ્રમાણે કર્યુ જેથી કરીને જે લોકો મરણ પામ્યા છે અને જેઓ હજી જીવતા છે તે સૌને ને પ્રભુ થાય.
10Ko koe na, he aha koe i whakahe ai i tou teina? me koe na hoki, he aha koe i whakahawea ai ki tou teina? e tu katoa hoki tatou ki te nohoanga whakawa o te Atua.
10તો પછી ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર તમારા ભાઈ વિષે તમે શા માટે સારો કે ખરાબ અભિપ્રાય બાંધો છો? અથવા તો તમારા ભાઈ કરતાં તમે વધારે સારા છો, એમ તમે શા માટે વિચારો છો? આપણે બધાએ દેવના ન્યાયાસન આગળ ઉપસ્થિત થવાનું છે અને તે આપણા સૌનો ન્યાય કરશે.
11Kua oti hoki te tuhituhi, E ora ana ahau, e ai ta te Ariki, e piko katoa nga turi ki ahau, e whakaae ano hoki nga arero katoa ki te Atua.
11હા, શાસ્ત્રમાં લખેલું છે: પ્રભુ કહે છે કે, “પ્રત્યેક વ્યક્તિ મારી આગળ ઘૂંટણીએ પડીને નમન કરશે અને પ્રત્યેક વ્યક્તિ કબૂલ કરશે કે, હું દેવ છું. હું જીવું છું એ જેટલું ચોક્કસ છે, એટલું ચોક્કસ એ રીતે આ બધું બનશે.” યશાયા 45:23
12Ae ra, ka korerotia e tenei, e tenei o tatou te tikanga o ana mahi ki te Atua.
12આમ, પોતાના જીવન વિષે આપણામાંની દરેક વ્યક્તિએ દેવને જવાબ આપવો પડશે.
13Na, kati ta tatou whakahe tetahi i tetahi: engari ko tenei kia rite i a koutou, kia kaua e whakatakotoria he tutukitanga waewae, he take whakahinga ranei mo tona teina.
13આમ આપણે એકબીજાનો ન્યાય તોળવાનું બંધ કરવું જોઈએ. આપણે એવો નિર્ણય લેવો પડશે કે આપણે એવું કાંઈ પણ ન કરવું કે જે કોઈ ભાઈ કે બહેનને નિર્બળ બનાવે કે તેને પાપમાં પાડે.
14E mohio ana ahau, u tonu toku whakaaro i roto i te Ariki, i a Ihu, kahore he mea nona ake ano tona noa: haunga ia ki te mea tetahi he noa tetahi mea, e noa ano ki a ia.
14હું તો પ્રભુ ઈસુમાં છું. અને હું જાણું છું કે એવો કોઈ ખોરાક નથી કે જે ખાવા માટે નકામો હોય. પરંતુ જો કોઈ માણસ એવું માનતો હોય કે કોઈ વસ્તુ તેના માટે ખોટી કે નકામી છે, તે તેના માટે તે ખોટું જ છે.
15Ki te mea hoki na te kai i pouri ai tou teina, kahore e mau ana tau haere i runga i te aroha. kei mate i tau kai te tangata i mate nei a te Karaiti mona.
15જો તમે જે કાંઈ ખોરાક લેતા હોય અને તેનાથી તમારા ભાઈની લાગણી દુભાતી હોય તો તમે પ્રેમનો માર્ગ અનુસરતા નથી. તેને ખાવાનો આગ્રહ કરીને તેના વિશ્વાસનો નાશ કરશો નહિ. એ માણસ માટે ઈસુ મરણ પામ્યો છે.
16Na, kei korerotia kinotia to koutou pai:
16તમારું જે સારું છે તે વિષે ભૂંડું બોલાય એવું કશું કરશો નહિ.
17Ehara hoki te rangatiratanga o te Atua i te kai, i te inu; engari he tika, he rangimarie, he hari i roto i te Wairua Tapu.
17દેવના રાજ્યમાં ખાવું અને પીવું એ અગત્યની બાબતો નથી. તેનાં કરતાં અગત્યની બાબતો દેવના રાજ્યમાં તો દેવની સાથે ન્યાયી થવું અને શાંતિ અને પવિત્ર આત્મામાં આનંદ અનુભવવો તે છે.
18Ko te tangata hoki ko enei hei mahinga mana ki a te Karaiti, ka ahuarekatia ia e te Atua, ka paingia hoki e nga tangata.
18જે કોઈ વ્યક્તિ આ રીતે જીવન જીવીને ખ્રિસ્તની સેવા કરે છે તે દેવને પ્રસન્ન કરે છે. અને બીજા લોકો પણ એ વ્યક્તિનો સ્વીકાર કરે છે.
19Na, kia whai tatou i nga mea e mau ai te rongo, i nga mea ano hoki e hanga ai te pai o tetahi, o tetahi.
19જે કામો કરવાથી શાંતિ સ્થપાતી હોય એવું કરવા આપણે સખત પરિશ્રમ કરીએ. અને જેનાથી એક બીજાને મદદ થાય એવું કરવાનો આપણે પ્રયત્ન કરીએ.
20Kaua e waiho te kai hei whakahoro mo ta te Atua mahi. He ma hoki nga mea katoa; otiia he kino ki te tangata e kai ana me te whakahe tona ngakau.
20જ ખોરાક ખાવાની બાબત પર માર મૂકીને દેવનું કાર્ય નષ્ટ ન થવા દો. ખાવાની બાબતમાં બધો જ ખોરાક ખાવા લાયક હોય છે. પરંતુ જે ખાવાથી બીજો માણસ જો પાપમાં પડતો હોય તો એ ખોરાક ખાવો યોગ્ય ન ગણાય.
21He mea pai tonu kia kaua e kai kikokiko, kia kaua e inu waina, aha ranei e tutuki ai tou teina.
21સાચી વસ્તુ એ છે કે માંસ ખાવાથી કે દ્રાક્ષારસ પીવાથી કે એવું કાંઈ કરવાથી જો તમારા ભાઈનું આધ્યાત્મિક પતન થતું હોય તો તે યોગ્ય નથી. તેથી એવું કાંઈ પણ ન કરવું જેનાથી કોઈનું પણ આધ્યાત્મિક પતન થાય.
22Ko te whakapono i a koe na, waiho i a koe ano i te aroaro o te Atua. Ka hari te tangata kahore e whakatau i te he ki a ia ano mo te mea i whakapaia e ia mana.
22આવી બાબતો વિષેની તમારી અંગત માન્યતાઓને તમારી અને દેવની વચ્ચે ગુપ્ત રાખવી જોઈએ. અપરાધ કર્યો હોય એવી લાગણી અનુભવ્યા વગર જે વ્યક્તિ પોતે જેને સાચું કે યોગ્ય માનતો હોય એવું કરી શકે એવી વ્યક્તિને ધન્ય છે.
23Ki te ruarua ia tetahi, ka tau te he ki a ia ki te kai ia: no te mea ehara i te kai whakapono: he hara hoki nga mea katoa kihai nei i puta ake i te whakapono.
23તે ખોરાક ખાવો યોગ્ય છે કે નહિ તેની ખાતરી કર્યા વગર જો કોઈ વ્યક્તિ તે ખાઈ લે તો તે પોતાની જાતને દોષિત માને છે. શા માટે? કારણ કે તે વ્યાજબી હતું એમ તેણે માન્યું નહોતું. અને જો કોઈ વ્યક્તિ જેમાં તેને વિશ્વાસ નથી કે તે સાચું છે અને તે કરે છે તો પછી તે પાપ છે.