1¶ Kahore ano koutou kia matau, e oku teina, e korero ana hoki ahau ki te hunga matau ki te ture, hei rangatira te ture mo te tangata i te wa e ora ai ia?
1ભાઈઓ અને બહેનો, તમે મૂસાના નિયમશાસ્ત્રને સમજો છો. તેથી સાચેજ તમે જાણો છો કે કોઈ વ્યક્તિ જ્યાં સુધી જીવિત હોય છે ત્યાં સુધી જ નિયમશાસ્ત્રની સત્તા એના પર ચાલે છે.
2Ko te wahine whai tane hoki, e mau ana ano ia i te ture ki te tane i a ia e ora ana; ki te mate ia te tane, kua mawheto ia i te ture a te tane.
2હું તમને એક દૃષ્ટાંત આપીશ: પરણિત સ્ત્રી જ્યાં સુધી તેનો પતિ જીવતો હોય ત્યાં સુધી તેની સાથે રહેવા બંધાયેલી હોય છે. પરંતુ જો તે સ્ત્રીનો પતિ મરણ પામે તો, પછી પતિ સાથેના સંબંધને લગતા નિયમથી તે સ્વતંત્ર થાય છે.
3Na, ki te riro ia i te tangata ke i tana tane e ora ana ano, ka kiia ia he wahine puremu: tena ka mate te tane, e atea ana a i te ture, ka kore ia e puremu ahakoa riro i te tangata ke.
3પરંતુ જે સ્ત્રીનો પતિ જીવતો હોય અને જો તેની પત્ની બીજા પુરુંષ સાથે લગ્ન કરે, તો નિયમશાસ્ત્ર કહે છે તેમ, તે સ્ત્રી વ્યભિચારની અપરાધી બને છે. પરંતુ જો એ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે, તો પછી લગ્નના નિયમમાંથી તે સ્ત્રીને મુક્ત કરવામાં આવે છે. આમ, પતિના મૃત્યુ પછી જો તે સ્ત્રી બીજા પુરુંષ સાથે લગ્ર કરે તો તે વ્યભિચારનો અપરાધ ગણાતો નથી.
4Heoi ko koutou ano hoki, e oku teina, kua meinga kia tupapaku ki te ture, na te tinana o te Karaiti; kia riro ai koutou i tetahi atu, ara i tera i whakaarahia i te hunga mate, kia whai hua ai tatou ki te Atua.
4એ જ પ્રમાણે, મારા ભાઈઓ તથા બહેનો, ખ્રિસ્તના શરીરની સાથે જ તમારા જૂના શરીરનું મૃત્યુ થયું છે. હવે તમે નિયમના બંધનમાંથી મુક્ત થયા છો. હવે તમે એક માત્ર એવા ખ્રિસ્તના શિષ્ય થયા છો, જે મૃત્યુમાંથી ઊભો થયો હતો. હવે આપણે ખ્રિસ્તના શિષ્ય થયા છીએ. જેથી કરીને દેવની સેવામાં આપણો ઉપયોગ થઈ શકે.
5I a tatou hoki i te kikokiko, e mahi ana nga hihiritanga o nga hara, e whakaohokia nei e te ture, i roto i o tatou wahi, a hua ake ko te mate.
5ભૂતકાળમાં તો આપણે જ્યારે દૈહિક હતા, ત્યારે પાપ વાસનાઓને આધીન હતા. અને આપણે જે પાપ કર્યા તે આપણા માટે આધ્યાત્મિક મૃત્યુ નોતરતા હતા.
6Ko tenei kua mawheto mai tatou i te ture, kua mate hoki tatou ki te mea i puritia ai tatou; no reira e mahi ana tatou i runga i te houtanga o te wairua, kahore i runga i te tawhitotanga o te kupu tuhituhi.
6ભૂતકાળમાં, નિયમશાસ્ત્રે આપણને કેદીઓની જેમ બાંધી રાખ્યા હતા. હવે આપણા જૂના નિયમશાસ્ત્રો નાશ પામ્યા છે. અને તેથી નિયમશાસ્ત્રના બંધનમાંથી આપણને હવે મુક્ત કરવામાં આવ્યા છે. લેખિત નિયમોની જૂની પધ્ધત્તિથી નહિ, પરંતુ હવે નવીન પધ્ધત્તિ પ્રમાણે આપણે દેવની સેવા કરીએ છીએ. પવિત્ર આત્માની સાતે આપણે હવે નવી પધ્ધત્તિ પ્રમાણે દેવની સેવા કરીએ છીએ.
7¶ Kia pehea ra he kupu ma tatou? He hara ranei te ture? Kahore rapea. Engari kihai ahau i matau ki te hara, me i kaua te ture: kahore hoki ahau i mohio ki te hiahia apo, me i kaua te ture te mea mai, Aua koe e hiahia apo.
7ત્યારે આપણે શું કહીએ, શું નિયમ પાપરૂપ છે? ના, કદી નહિ. પરંતુ નિયમ વગર મેં પાપ જાણ્યું ના હોત, કારણ કે જો નિયમશાસ્ત્રે કહ્યું ન હોત કે લોભ ન રાખ, તો મેં લોભ જાણ્યો ના હોત. “તમારે બીજાઓની માલિકીની વસ્તુઓની ઈચ્છા કરવી જોઈએ નહિ.”
8Na, ka mau te hara ki tenei, a ka mahi i nga hiahia apo katoa i roto i ahau, he mea na te ture. Ki te kore hoki te ture ka mate te hara.
8પણ પાપને તક મળવાથી આજ્ઞા વડે મારામાં સઘળા પ્રકારની અનિષ્ટ ઈચ્છાઓ પૂર્ણ કરવા મને લલચાવ્યો. મારામાં પાપ પેઠું. કારણ કે નિયમ વિના પાપ નિર્જીવ છે.
9I ora hoki ahau i mua i te korenga o te ture: no te taenga mai ia o te kupu whakahau, ka ora ake te hara, a mate iho ahau.
9નિયમશાસ્ત્રનું મને જ્ઞાન થયું તે પહેલાં પણ હું તેના વગર જીવતો હતો. પરંતુ જેવો નિયમનો આદેશ મને મળ્યો કે તરત જ પછીથી મારામાં પાપ સજીવન થયું.
10Na, ko te kupu whakahau i meinga ra hei ora, kitea ketia ana tenei hei mate moku.
10અને આમ પાપના કારણે મારું આધ્યાત્મિક મૃત્યુ થયું. એ આદેશનો હેતુ મને જીવન બક્ષવાનો હતો, પરંતુ મારા માટે એ આદેશ મૃત્યુ લાવ્યો.
11Ka mau te hara ki tenei, ka whakawai hoki i ahau i runga i te kupu whakahau, nana ahau i mate ai.
11મને પાપે આજ્ઞાનો ઉપયોગ કરી મૂર્ખ બનાવવાનો રસ્તો શોધ્યો. પાપે મારા આત્મિક મરણને માટે આજ્ઞાનો ઉપયોગ કર્યો.
12Ae ra, he tapu te ture, me te kupu whakahau ano he tapu, he tika, he pai.
12આમ, નિયમશાસ્ત્ર તો પવિત્ર છે જ, અને આજ્ઞા પણ પવિત્ર, ન્યાયી અને સારી છે.
13I riro koia te mea pai hei mate moku? Kahore rapea. Engari na te hara i mea te mea pai hei mate moku, kia whakakitea ai he hara te hara; na ka ai te kupu whakahau hei mea kia tino nui noa atu.
13તો આનો અર્થ શું એવો થાય કે જે કઈક સારું છે તે જ મારા માટે મૃત્યુ લાવ્યું? ના! પરંતુ પાપે જે મારું મૃત્યુ લાવી શકે તેવા સારાપણાનો ઉપયોગ કર્યો. આમ એટલા માટે બન્યું કે પાપનું ખરું સ્વરૂપ પ્રગટ થઈ શકે. અને તેના બધા અનિષ્ટોમાં પાપ બતાવી શકાય આ બધું આજ્ઞા દ્વારા જ થયું હતું.
14¶ E matau ana hoki tatou no te wairua te ture: ko ahau ia no te kikokiko, kua hokona hei parau ma te hara.
14આપણે જાણીએ છીએ કે નિયમ આધ્યાત્મિક છે. પરંતુ હું આધ્યાત્મિક નથી. જાણે કે હું તેનો સેવક હોઉં તેમ પાપ મારા પર સત્તા ચલાવે છે.
15Ko taku hoki e mahi nei kahore e mohiotia iho e ahau: kahore hoki e mahia e ahau taku i pai ai; heoi ko taku i kino ai, meatia ana tenei e ahau.
15હું જે કોઈ કામો કરું છું, તે સમજી શકતો નથી. તેથી જે સારાં કામો કરવાની મારી ઈચ્છા છે, તે હું કરી શકતો નથી. અને જે ખરાબ કામો કરવાનું હું ધિક્કારું છું તે હું કરું છું.
16Ki te mahia ia e ahau taua mea kihai nei ahau i pai atu, e whakaae ana ahau ki te ture he pai.
16ત્યારે હું જે ઈચ્છતો નથી તે જો હું કરું છું, તો હું નિયમ વિષે કબૂલ કરું છું કે તે સારો છે.
17Ko tenei ehara i ahau i mahi, engari na te hara e noho nei i roto i ahau.
17પરંતુ આ ખરાબ કામો કરનાર ખરેખર હું નથી. મારામાં રહેતું પાપ ખરાબ કામો કરે છે.
18E matau ana hoki ahau, kahore he mea pai e noho ana i roto i ahau, ara i roto i toku kikokiko: ko te hiahia hoki kei ahau, ko te mea ia i te pai kahore i ahau.
18હા, હું જાણું છું કે મારામાં એટલે મારા દેહમાં કંઈ જ સારું વસતું નથી. મારો કહેવાનો અર્થ એ છે કે મારા અસ્તિત્વનો જે અંશ આધ્યાત્મિક નથી, તેમાં કોઈ સારાપણાનો સમાવેશ નથી. મારી ઈચ્છા તો એવી છે કે હું સારાં જ કામો કરું. પરંતુ હું તે કરતો નથી.
19Ko te pai hoki e hiahiatia ana e ahau, kahore e mahia e ahau: engari te kino kihai nei ahau i pai, mahia ana tenei e ahau.
19મારે જે સારાં કામો કરવાં છે તે હું કરતો નથી. તેને બદલે જે ખરાબ કામો જે મારે નથી કરવાં તે મારાથી થઈ જાય છે.
20Ki te mahia ia e ahau taua mea pu kihai nei ahau i pai atu, ehara i ahau nana taua mea i mahi, engari na te hara e noho nei i roto i ahau.
20તેથી જે કામો મારે કરવાં નથી, તે જો મારાથી થઈ જતાં હોય, તો એવાં કામો કરનાર ખરેખર હું નથી. મારામાં રહેતું પાપ એ બધાં ખરાબ કામો કરે છે.
21Na, kua kitea e ahau te ture, ara kei te tata tonu te kino ki ahau e hiahia nei kia mea i te pai.
21તેથી મેં આ સિદ્ધાંત શોધ્યો. જ્યારે હું સારું કરવા ઈચ્છું છું ત્યારે ભૂડું જ ઉપલબ્ધ હોય છે.
22E ahuareka ana hoki ahau ki te ture a te Atua, ara to roto tangata:
22દેવના નિયમમાં હું અંતરના ઊડાણમાં ખૂબ સુખી છું.
23Otira kua kitea e ahau tetahi atu ture i roto i oku wahi, e whawhai ana ki te ture a toku hinengaro, e mea ana i ahau hei taurekareka ma te ture a te hara, ma tenei i roto nei i oku wahi.
23પરંતુ મારા શરીરમાં કોઈ જુદો જ નિયમ કાર્ય કરતો જોઉ છું. માનસિક સ્તરે મારા મનમાં જે નિયમનો સ્વીકાર થયો છે તેની સામે પેલો શારીરિક સ્તર પર ચાલતો નિયમ યુદ્ધ છેડે છે. મારા શરીરમાં ચાલતો એ નિયમ તે પાપનો નિયમ છે, અને એ નિયમ મને એનો કેદી બનાવે છે.
24Aue, te mate i ahau! ma wai ahau e whakaora i te tinana o tenei mate?
24તેથી હું દુ:ખી છું! મારા માટે મૃત્યુ લાવનાર આ શરીરથી મને કોણ બચાવશે?
25Ma te Atua! E whakawhetai tonu ana ahau ki a ia i runga i a Ihu Karaiti, i to tatou Ariki. Na, e mahi ana ahau ano nei, ara, toku hinengaro, ki te ture a te Atua, ko toku kikokiko ia ki te ture a te hara.
25દેવ જ મને બચાવશે! આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હું તેનો આભાર માનું છું! આમ મારા મનમાં હું મારી જાતે દેવના નિયમને અનુસરું છું. પણ મારા પાપમય સ્વભાવથી હું પાપના નિયમનો દાસ છું.